________________
શ્રીમદ્રાજચંદ્ર” –એક સમાલોચના
[૧૮] વવાણિયા, મેરબી અને રાજકોટ વગેરેમાં જ્યાં શ્રીમદનું આવવાજવા અને રહેવાનું વિશેષ થતું, એ સ્થાને મારા જન્મસ્થાન અને રહેઠાણથી કાંઈ વિશેષ દૂર ન ગણાય. તેમ છતાં, એ સ્થાનની વાત બાજુએ મૂકું અને છેલ્લે છેલ્લે વિ. સં. ૧૯૫૬માં તેઓ વઢવાણ કેમ્પમાં રહેલા તે સ્થાન તે મારા રહેઠાણુથી માત્ર એક કલાકને રસ્તે જ છે. એટલું જ નહિ, પણ મારા કુટુંબીઓની દુકાન અને મારા ભાઈ, પિતા વગેરેનું રહેવાનું વઢવાણ કેમ્પમાં હોવાથી, મારે વાસ્તે એ સ્થાન સુગમ જ નહિ પણ વાસસ્થાન જેવું હતું. તે વખતે મારી ઉમર પણ લગભગ ઓગણીસ વર્ષની હેઈ અપકવ ન જ ગણાય. નેત્ર ગયા પછીનાં ત્યાર સુધીનાં ત્રણ વર્ષમાં સાંપ્રદાયિક ધર્મશાસ્ત્રના ડાક પણ તીવ્ર રસપૂર્વક અભ્યાસથી તે વખતે મારામાં જિજ્ઞાસા તે ઉત્કટ જાગેલી એમ મને યાદ છે. મારે તે વખતને બધે સમય શાસ્ત્રશ્રવણ અને સગવડ મળી તે શાસ્ત્ર પી જવામાં જ જ. આમ હોવા છતાં હું તે વખતે એક પણ વાર શ્રીમદને કેમ પ્રત્યક્ષ મળી ન શક્યો એને વિચાર પહેલાં પણ મને ઘણું વાર આવ્યો છે અને આજે પણ આવે છે. એને ખુલાસો મને એક જ રીતે થાય છે અને તે એ કે ધાર્મિક વાડાવૃત્તિ સત્યશોધ અને નવીન પ્રસ્થાનમાં ભારે બાધક નીવડે છે.
કુટુંબ, સમાજ અને તે વખતના મારા કુલધર્મગુરુઓના સાંકડા માનસને લીધે જ મારામાં એવા એગ્ય પુરુષને મળવાની કલ્પના જ તે વખતે જન્મવા ન પામી કે સાહસવૃત્તિ જ ન પ્રગટી. જેમની વચ્ચે મારે બધે વખત પસાર થત તે સ્થાનકવાસી સાધુઓ અને આર્થીઓ તેમ જ કોઈ વાર તેમના ઉપા. સના મોઢેથી તે વખતે શ્રીમદ વિશે તુચ્છ અભિપ્રાય જ સાંભળો. તેથી મને મન ઉપર તે વખતે એટલે સંસ્કાર વગર વિચાર્યું પડેલું કે રાજચંદ્ર નામને કઈ ગૃહસ્થ છે, જે બુદ્ધિશાળી તે છે પણ મહાવીરની પેઠે પિતાને તીર્થકર મનાવી પિતાના ભક્તોને ચરણોમાં નમાવે છે અને બીજા કોઈને ધર્મગુરુ કે સાધુ માનવા ના પાડે છે, ઈત્યાદિ. મારે કબૂલ કરવું જોઈએ કે જે તે વખતે મારું મન જાગ્રત હોત તે તે આ મૂઢ સંસ્કારની પરીક્ષા ખાતર પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org