SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૬ર ] દર્શન અને ચિંતન, કરતાં આધ્યાત્મિક જીવનને પસંદ કર્યું અને મૃત્યુ એને ડરાવી ન શક્યું. જિસસ ક્રાઈસ્ટ પિતાને નૂતને પ્રેમસંદેશ આપવાની જવાબદારી અદા કરવામાં શળીને સિંહાસન માન્યું. આવાં પ્રાચીન ઐતિહાસિક ઉદાહરણોની સત્યતા વિશે જાગતી શંકાને દૂર કરવા માટે જ જાણે કે ગાંધીજીએ હમણાં હમણું જે ચમત્કાર બતાવ્યું છે તે સર્વવિદિત છે. એમને હિન્દુત્વ–આર્યત્વના નામે પ્રતિષ્ઠા પ્રાપ્ત બ્રાહ્મણ તથા શ્રમણની સેંકડો કુરૂઢિ-પિશાચિનીઓ ચલિત ન કરી શકી. હિન્દુ-મુસલમાનોની દંડાદડી, શસ્ત્રાશસ્ત્રી પણ એમને કર્તવ્યચલિત ન કરી શકી કે મૃત્યુ પણ એમને ડરાવી ન શક્યું. તે આપણા જેવા જ માણસ હતા. તો પછી એવું કયું કારણ છે કે જેને લીધે એમની કર્તવ્યદૃષ્ટિ કે જવાબદારી આવી સ્થિર, વ્યાપક તથા શુદ્ધ હતી, જ્યારે આપણી એનાથી તદ્દન વિપરીત છે ? આનો જવાબ સીધે છે કે આવા પુરુષોમાં જવાબદારી કે કર્તવ્યદષ્ટિને પ્રેરક ભાવ જીવનશક્તિના યથાર્થ અનુભવમાંથી આવેલ હોય છે, જે આપણામાં નથી. આવા પુરુષને જીવનશક્તિનો જે યથાર્થ અનુભવ થયો છે એને જ જુદા જુદા દાર્શનિકે જુદી જુદી પરિભાષામાં વર્ણવે છે. કોઈ એને આત્મસાક્ષાત્કાર કહે છે તે કઈ બ્રહ્મસાક્ષાત્કાર કે ઈશ્વરદર્શન કહે છે. પરંતુ એમાં કાંઈ પણ ફરક નથી. ઉપરના વર્ણનથી મેં એ બતાવવાનો પ્રયત્ન કર્યો છે કે મોહજનિત ભાવ કરતાં જીવનશક્તિને યથાર્થ અનુભવજનિત ભાવ કેટલે અને શા માટે શ્રેષ્ઠ છે તથા એનાથી પ્રેરિત કર્તવ્યદષ્ટિ તથા જવાબદારી કેટલી શ્રેષ્ઠ છે. તે વસુધાને કુટુંબ સમજે છે, તે એ જ શ્રેષ્ઠભાવને કારણે. આ ભાવ શબ્દોથી નથી આવી શકો, અંદરથી જાગે છે; અને એ જ માનવના પૂર્ણ વિકાસનું મુખ્ય સાધન છે. એની પ્રાપ્તિ માટે જ અધ્યાત્મશાસ્ત્ર છે, ગમાર્ગ છે તથા એની સાધના એ જ માનવજીવનની કૃતાર્થતા છે. આ વી. –બુદ્ધિપ્રકાશ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy