________________
અનુશીલન
[ ૧૧૦૧
રીતે બતાવી છે. જાણે કે ગાંધીજી એકધર્મનિષ્ઠ રહીને અનેક ધર્મો પ્રત્યે સમભાવ પિષી દરેકમાં જે મહત્ત્વને સુધારો કરવા જીવન જીવ્યા છે, તેનું જ નિરૂપણ આમાં ન હોય ? ખરી રીતે ગૂઢ અને વિવિધ સમસ્યાઓને ખાસ, કરી સર્વધર્મસમભાવને લગતી સમસ્યાઓને ઉકેલ કરેલ હોય તે તે માત્ર કલ્પનાથી નથી થઈ શકતે, પણ એ પ્રકારનું કોઈ જીવન જીવ્યા હોય અને એવા જીવનને આખો પટ નિહાળ્યું હોય અને પોતે પણ પછી એમાં હૃદયથી રસ લેતે થે હોય તો જ આ ઉકેલ સ્પષ્ટપણે સૂચવી શકાય છે; કેમકે એક બાજુથી તેણે બીજાનું એવું જીવન નિહાળ્યું હોય છે અને બીજી બાજથી તેણે પણ એ માર્ગમાં રસ લઈ અનુભવ સાથે હોય છે. આ જ કારણથી વર્તમાનની પેઠે અતીત ઘટનાઓ પણ સામે હોય તેમ લાગે છે. આ લેખમાં લેખક તેવું જ નિરૂપણ કૌશલ દર્શાવે છે.
૬. સંક૯પસિદ્ધિ
સંકલ્પસિદ્ધિના નિરૂપણ દ્વારા તો કર્મના કાયદાનું જ નિરૂપણ કર્યું છે, તે અનુભવસિદ્ધ હોવાથી તાદશ છે. એ વિચાર એમણે સાધના દરમિયાન ર્યો હશે. ૭. જપ
જપ વિષે જે લખ્યું છે તે તેમણે અનુભવ્યું જ છે. પ્રાચીન સાધકને અનભવ તે હતો જ. બાપુના જપે સૌને બતાવી આપ્યું કે તે કે ચિત્તની સ્થિરતા, એયની સ્મૃતિ અને સંકલ્પની સિદ્ધિમાં ઉપયોગી છે. છેવટે પણ, રામ એ જ નામે તેમને સમાહિત ચિત્તે મરણને આવકારવા પ્રેર્યા. '
પણ આ લેખમાં જે જંગલનો અને સ્ટારહાઉસને દાખલે છે તે ચિત્તગત નાના-મોટા અસ્તવ્યસ્ત અને ચંચલ-અચંચલ, સારા-નરસા સંસ્કાર કે સંકલ્પનો દૂબહૂ ચિતાર આપે છે અને દરેકને પોતાનું મન સાક્ષાત જેવું કરવામાં મદદ આપે છે. ખરી રીતે આધ્યાત્મિક સાધનામાં ઉપયોગી મનાતી જપ જેવી વસ્તુઓને લેખક દરેક ક્ષેત્રમાં ઉપયોગી થઈ પડે એવી જાતને ખુલાસે કરે છે. આવું વિશ્લેષણ, વિશદીકરણ, અને વ્યાપકીરણ ભાગ્યે જ અન્યત્ર હશે. ८. यज्ज्ञात्वा मोक्ष्यसेऽशुभात् । - કર્મ અને ધર્મ વચ્ચે ભેદ નથી મા એ બરાબર છે. કેમ કે ધર્મ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org