________________
જે યાયને ક્રમિક વિકાસ
[ ૧૦૮૫ જીવન આદિની વિગત એટલી બધી લાંબી છે કે, તે આપતાં વિષયાંતર થઈ જાય. તેથી જેઓ તે વિષયના જિજ્ઞાસુ હોય તેઓની જાણ ખાતર છેવટે એક એવું પરિશિષ્ટ આપવામાં આવે છે કે જેની અંદર ઉપર આવેલા આચાર્યોના સંબંધમાં માહિતી આપનાર શ્રે નોંધેલા છે અને તેઓનું પ્રકાશિત થયેલું કેટલુંક સાહિત્ય ધેલું છે. એ સાહિત્ય અને એ ગ્રંથે જેવાથી તે તે આચાર્યોના સંબંધમાં મળતી આજ સુધીની માહિતી ઘણેભાગે કોઈ પણ જાણી શકશે.
આ લેખમાં જૈન ન્યાયના પ્રણેતા અમુક જ વિદ્યાનો ઉલ્લેખ છે; બીજા ઘણાને છોડી દીધા છે. તેનું કારણ એ નથી કે તેઓને જૈન ન્યાયના વિકાસમાં સ્વલ્પ પણ હિસ્સે નથી. હેય છતાં તેવા નાના મોટા દરેક ગ્રંથકારને ઉલ્લેખ કરતાં લેખનું કલેવર કંટાળાભરેલ રીતે વધી જાય તેથી જે વિદ્વાનોનું જૈન ન્યાયના વિકાસમાં ડું છતાં વિશિષ્ટ સ્થાન મને જણાયું છે, તેઓને જ ઉલ્લેખ કર્યો છે. બાકીનાઓનાં નામનું બીજું એક પરિશિષ્ટ અંતમાં આપી દેવામાં આવે છે.
આ લેખ સમાપ્ત કરતાં એક વાત તરફ વાચકોનું ધ્યાન ખેંચું છું તે આ–હિંદુસ્તાનના કે બહારના વિદ્વાનો ગુજરાતના સાક્ષરેને એમ પૂછે છે કે ગુજરાતના વિદ્વાનોએ દાર્શનિક સાહિત્ય રચ્યું છે ? અને રચ્યું હોય તે કેવું અને કેટલું ? આ પ્રશ્નને કેઈ પણ સાક્ષર હા માં અને પ્રામાણિક ઉત્તર આપી ગુજરાતનું નાક રાખવા ઈચ્છે તો તેણે જૈન વાડમય તરફ સપ્રેમ દષ્ટિપાત કરે જ પડશે. એવી સ્થિતિમાં ગુજરાતના દાર્શનિક સાહિત્યનું મુખ ઉજજવલ કરવા ખાતર અને દાર્શનિક સાહિત્યની સેવામાં ગુજરાતનું વિશિષ્ટ સ્થાન જણાવવા માટે દરેક સાહિત્યપ્રેમી વિદ્વાનની એ ફરજ છે કે, તેણે કેવળ સાહિત્યોપાસનાની શુદ્ધ દૃષ્ટિથી જૈન ન્યાય સાહિત્યના ગુજરાતીમાં સરલ અને વ્યવસ્થિત અનુવાદ કરી સર્વસાધારણ સુધી તેને ધોધ પહોંચતા કરે. જેનેનું આ સંબંધમાં બેવડું કર્તવ્ય છે. તેઓએ તો સાંપ્રદાયિક મેહથી પણ પિતાના દાર્શનિક સાહિત્યને વિશિષ્ટ રૂપમાં અનુવાદિત કરી પ્રચારવાની આવશ્યકતા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org