SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨૬ ]. દર્શન અને ચિંતન સમાવેશ થાય છે. અ. (૧)શર્ષિક દર્શનના પ્રણેતા કણદ ઋષિએ કાળતત્વને અંગે ચાર સૂત્રો રચ્યાં છે. તેમાં પ્રથમ સૂત્રમાં કાળતત્વને સ્વતંત્ર સ્થાપિત કરવા કેટલાંક લિંગે વર્ણવ્યાં છે. તે કહે છે કે અમુક વ્યક્તિ અમુક વ્યક્તિથી જેષ્ઠ છે અગર કનિષ્ઠ છે, તેવી પ્રતીતિનું મુખ્ય કારણ તેમ જ વિવિધ કાર્યોમાં થતી યોગપઘ, ચિર અને ક્ષિપ્ર પ્રતીતિનું મુખ્ય કારણ કેઈ તત્વ સ્વતંત્ર હોવું જોઈએ. આ સ્વતંત્ર તત્વ તે કાળ. પછીનાં ત્રણ સૂત્રોમાં તે ઋષિ કાળને દ્રવ્યરૂપ માને છે, નિત્ય માને છે, એક માને છે અને સકળ કાર્યોના નિમિત્તકારણ તરીકે ઓળખાવે છે. (૨) ન્યાયદર્શનના પ્રણેતા ગૌતમ ઋષિએ, કણાદ ઋષિની પેઠે પિતાના પંચાધ્યાયી સૂત્રગ્રંથમાં કોઈ પણ સ્થળે કાળતત્વને સિદ્ધ કરવા કે તેનું સ્વરૂપ બતાવવા કાંઈ પણ કહ્યું નથી. તેનું કારણ એ છે કે તે ત્રાષિ પિતાના દર્શનમાં પ્રધાનપણે પ્રમાણુની જ ચર્ચા કરે છે, અને પ્રમેયની બાબતમાં વૈશેષિકદર્શનને અનુસરે છે; છતાં તેઓએ એક સ્થળે પ્રસંગવશ દિશા અને જોઈએ. પૂર્વમીમાંસા આત્માનું અનેકત્વ સ્વીકારે છે, પરમાણુ વગેરે જડ દ્રવ્યને સ્વતંત્ર માને છે અને મેક્ષમાં તૈયાયિકોની પેઠે બુદ્ધિ વગેરે ગુણેને નાશ અને આનંદને અભાવ માને છે. વાંચે: " मुक्तिस्वरूपम्-किमिदं ? स्वस्थ इति, ये यागमापायिनो धमा बुद्धिसुखदुःखेच्छा द्वेषप्रयत्नधर्माधर्मसंस्कारास्तानपदाय यदस्य स्वं नैजं रूपं ज्ञानशक्तिसत्ताद्रव्यत्वादि तस्मिन्नवतिष्ठत इत्यर्थः । यदितु संसारावस्थायामविद्यमानोऽप्यानन्दो मुक्तावस्थायां जन्यत इत्युच्यते ततो जनिमत्वादनित्यो मोक्षः स्यात् ।" अ. १. पा. १ अधि. ૧.. . શાસ્ત્રીવિઝા ઉપર રામકૃષ્ણ પ્રણીત યુનિતત્તે પૂરી સિત્તેજિ. ત્યારે વેદાંતદર્શન પ્રધાનપણે એક જ આત્મા અગર બ્રહ્મને વાસ્તવિક સ્વીકારી, તે સિવાયના સકલ પ્રમેને માત્ર માયિક કલ્પ છે, અને મોક્ષમાં અખંડાનંદ માને છે. (૧) બીજા વર્ગમાં સાંખ્ય સાથે વેગને રાખવામાં આવ્યું છે, તે તે સમજાય તેવું છે, કારણ યોગદર્શન સર્જાશે સાંખ્યદર્શનના જ પ્રમેયો સ્વીકારે છે. તે બન્ને વચ્ચેનો ભેદ ફક્ત ઉપાસનાની અને જ્ઞાનની ગૌણુ–પ્રધાનતાને આભારી છે, પણ વેદાંતદર્શન, જે પ્રમેયની બાબતમાં સાંખ્યથી બિલકુલ જુદું પડે છે, તેને સાંખ્યદર્શન સાથે રાખવાનું કારણ એ છે કે આત્મા આદિ પ્રમેયોના સ્વરૂપના વિષયમાં તે બને પ્રબળ મતભેદ છતાં કાળના વિષયમાં તે બન્ને સમાન છે, २ "अपरस्मिन्नपर युगपच्चिरं क्षिप्रमिति काल लिङ्गानि ॥६॥ द्रव्यल. नित्यत्वे वायुना व्याख्याते ॥७॥ तत्त्वं भावेन |८|| नित्येष्वभावादनित्येषु भावाત્રાને વાત્રાતિ ૧. ” વૈરોવિઝન, અ. ૨. સ. ૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy