SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય દર્શનની કાળતત સંબંધી માન્યતા [ ૧૦૨૫ (૨) બીજા વર્ગમાં બાકીનાં ત્રણ એટલે સાંખ્ય, યોગ અને ઉત્તરમીમાંસાને માન્યતાનાં અનુમાન છે. ન્યાયદર્શનને પ્રધાન વિષય પ્રમાણચર્ચાને છે, તેમાં પ્રમેયચર્ચા છે ખરી, પણ ફક્ત તે સંસાર અને મોક્ષના કાર્યકારણભાને સમજાવવા પૂરતી છે. (આ માટે જુઓ–બ મામીરનિયા થવુદ્ધિમત્ત:વૃત્તિોપત્યમાવવા લાવવતુ ગમેથમ ” નૌતમસૂત્ર, સ. ૧, ભા ૧ જૂ, 5) સમગ્ર જગતના પ્રમેની ચર્ચામાં તે ઊતર્યું નથી. તે બાબતમાં તેણે વૈશેષિકના સિદ્ધાતે સ્વીકારી લીધા છે. વૈશેષિક દર્શન મુખ્ય પણે mતના પ્રમેયોની ચર્ચા કરે છે. તે ચર્ચા પ્રમાણચર્ચાની પ્રધાનતાવાળા ન્યાયદર્શનને સર્વથા માન્ય છે. આ જ કારણને લીધે ન્યાય અને વૈશેષિક દર્શનમાં ભેદ ક્રમે ક્રમે ઘટતે ગયા છે, અને તેથી જ ન્યાયશાસ્ત્ર એ નામ સાંભળતાં જ તે બને દર્શને ખ્યાલમાં આવે છે. ઉક્ત બને દર્શનેના મૂળ સૂત્રગ્રંથ ઉપર તન્ન ભિન્ન ભિન્ન ટીકાગ્રંથ હોવા છતાં પાછળથી કેટલાક તૈયાચિકેએ એવા ન્યાયવિષયક ગ્રંથ રચેલા છે કે જેમાં વૈશેષિક દર્શનની પ્રમેયચર્ચા અને ન્યાયદર્શનની પ્રમાણચર્ચાને સંગ્રહ કરી અને દર્શનેનું સંધાન કરી દીધેલું છે. આ જાતના ગ્રંથોમાં સૌથી પહેલું સ્થાન ચમણિનુ છે. તેના કર્તા ગંગેશ ઉપાધ્યાય નવીનન્યાયશાસ્ત્રના સૂત્રધાર કહેવાય છે. મોકે ગંગેશ ઉપાધ્યાયના પહેલાં પણ ઉદયનાચાયે કુસુમાંજલિ વમેરે પિતાના માં વૈશેષિક અને ન્યાય બને દર્શનની માન્યતાનું સંધાન કરેલું છે, પણ તે સંધાન પરિપૂર્ણ રૂપમાં ગંગેશ ઉપાધ્યાયે જ કરેલું હોવાથી તેનું માન તેઓને ઘટે છે. ગણેશ ઉપાધ્યાય પછીના નૈયાયિકમાં ઉક્ત બને દર્શનેનું સંધાન કરી ન્યાય ગ્રંથ ખના તર્કસંગ્રહના પ્રણેતા એન્નભટ્ટ અને મુક્તાવલિના રચયિતા વિશ્વનાથ તર્કપંચાનન એ પ્રસિદ્ધ છે. પૂર્વમીમાંસા એ ઉત્તરમીમાંસાનું પૂર્વાગ અને નિફ્ટવતી દર્શન કહેવાય છે ખરું, પણ તેનું કારણ એ નથી કે તે ઉત્તરમીમાંસાના પ્રમેયો સ્વીકારતું હોય. તે પ્રમેયના વિષચમાં વૈશેષિક અને ન્યાયદર્શનને જ મુખ્યપણે અનુસરે છે. (ઉદાહરણાર્થ તેની ઈદ્રિય” સંબંધી આ માન્યતા વાંચો: तच्च द्विविधम्, बाह्यमभ्यन्तरं च । बाह्यं पञ्चविधं घ्राणरसनचक्षुरत्वक्श्रोत्रात्मकम् । आन्तरं त्वेकं मनः । तत्राद्यानि चत्वारि च पृथिव्यप्तेजोवायुप्रकृतीनीत्यक्षपाददर्शनबदभ्यागम्यन्ते । श्रोत्रं त्वाकाशात्मक तैरभ्युपगतम् । वयं तु 'दिशः श्रोत्रं' इति दर्शनाद् दिग्भागमेव कर्णशष्कुल्यवच्छिन्नं श्रोत्रमाचक्ष्महे ।" भ. १. पा. . अधि. ૪, જૂ, ૪, મિનિસૂત્ર-શાસ્ત્રીવિ. પૂર્વમીમાંસા કર્મકાંડવિષયક વૈદિક કૃતિઓની વ્યવસ્થા અને ઉ૫પત્તિ કરતું હોવાથી તે જ્ઞાનપ્રધાન ઉત્તરમીમાંસા (વેદાંતદર્શન)ને માર્ગ સરલ કરે છે. તે જ કારથી તે તેનું પૂર્વાગ થા નિકટવતી દર્શન કહેવાય છે. પ્રમેયની માન્યતામાં તે પૂર્વમીમાંસા અને ઉત્તરમીમાંસા વચ્ચે આકાશપાતાળનું અંતર છે. એ વાત ભૂલવી ન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy