________________
ભારતીય દર્શનેમાં આધ્યાત્મિક વિકાસક્રમ
[ ૧૦ર. મિત્રા આદિ ચાર દૃષ્ટિઓમાં આધ્યાત્મિક વિકાસ હોય છે ખરે, પણ તેમાં કાંઈક અજ્ઞાન અને મેહનું પ્રાબલ્ય રહે છે, જ્યારે સ્થિર આદિ પાછલી ચાર દૃષ્ટિઓમાં જ્ઞાન અને નિર્મોહતાનું પ્રાબલ્ય વધતું જાય છે. બીજા પ્રકારના વર્ણનમાં તે આચાર્યો માત્ર આધ્યાત્મિક વિકાસના ક્રમનું જ
ગરૂપેર વર્ણન કર્યું છે, તે પહેલાંની સ્થિતિ વર્ણવી નથી. યોગના તેઓએ અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા અને વૃત્તિક્ષય એવા પાંચ ભાગે કરેલા છે.
આ બન્ને પ્રકારનાં વર્ણને એ પ્રાચીન જૈન ગુણસ્થાનકના વિચારનું નવીન પદ્ધતિએ વર્ણન માત્ર છે. આછવક દર્શન
' આ દર્શનનાં સ્વતંત્ર સાહિત્ય અને સંપ્રદાય નથી, તથાપિ તેના આધ્યાત્મિક વિકાસક્રમ સંબંધી વિચારે બૌદ્ધ ગ્રંથમાં સચવાઈ રહેલ છે. જોકે
૧. જુઓ યોગનિંદા
૨. યોગ એટલે જેનાથી મોક્ષ પ્રાપ્ત કરી શકાય તે ધર્મવ્યાપાર, અનાદિ કાળચક્રમાં જ્યાં સુધી આત્માની પ્રવૃત્તિ સ્વરૂપ–પરમુખ હાઈ લક્ષ્યભ્રષ્ટ હોય છે, ત્યાં સુધીની તેની બધી ક્રિયા શુભાશય વિનાની હોવાથી યોગકટિમાં આવતી નથી. જ્યારથી તેની પ્રવૃત્તિ બદલાઈ સ્વરૂપે ભુખ થાય છે ત્યારથી જ તેની ક્રિયામાં શુભાશયનું તતવ દાખલ થાય છે અને તેથી તેવો શુભાશયવાળે વ્યાપાર ધર્મવ્યાપાર કહેવાય છે અને તે પરિણામે મેક્ષજનક હેઈ યોગ નામને પાત્ર બને છે. આ રીતે આત્માના અનાદિ સંસારકાળના બે ભાગ થઈ જાય છે : એક અધાર્મિક અને બીજો ધાર્મિક, અધાર્મિક કાળમાં ધર્મની પ્રવૃત્તિ હોય તે પણ તે ધર્મ ખાતર નથી હોતી, કેવળ “પક્તિ” (લેકરજન) ખાતર હોય છે. તેથી તેવી પ્રવૃત્તિ ધર્મકટિમાં ગણવાયોગ્ય નથી. ધર્મ ખાતર ધર્મની પ્રવૃત્તિ ધાર્મિક કાળમાં જ શરૂ થાય છે, તેથી તે પ્રવૃત્તિ યોગ કહેવાય છે. જુઓ યોગનિંદ.
૩. (૧) જ્યારે થોડા કે ઘણું ત્યાગ સાથે શાસ્ત્રીચ તત્ત્વચિંતન હોય છે અને મૈત્રી, કરુણાદિ ભાવનાઓ વિશેષ સિદ્ધ થઈ જાય છે, ત્યારે તે સ્થિતિ અધ્યાત્મ કહેવાય છે. (૨) જ્યારે મન સમાધિપૂર્વક સતત અભ્યાસ કરવાથી અધ્યાત્મ વડે સવિશેષ પુષ્ટ થાય છે, ત્યારે તે લાવના છે. ભાવનાથી અશુભ અભ્યાસ ટળે છે, શુભ અભ્યાસની અનુકૂળતા વધે છે અને સુંદર ચિત્તની વૃદ્ધિ થાય છે. (૩) જ્યારે ચિત્ત ફક્ત શુભ વિષયને જ આલંબીને રહેલું હોય છે, અને તેથી તે સ્થિર દીપક જેવું પ્રકાશમાન હાઈ સૂમ બોધવાળું બની જાચ છે ત્યારે તે ધ્યાન કહેવાય છે. ધ્યાનથી દરેક કામમાં ચિત્ત આત્માધીન થઈ જાય છે, ભાવ નિશ્ચલ થાય છે અને બંધને વિચ્છેદ થાય છે. (૪) અજ્ઞાનને લીધે ઈષ્ટ-અનિષ્ટરૂપે કલ્પાયેલી વસ્તુઓમાંથી જ્યારે વિવેકને લીધે ઇષ્ટ-અનિષ્ટપણાની ભાવના નષ્ટ થાય છે ત્યારે તેવી સ્થિતિ સમતા કહેવાય છે. (૫) વાસનાના સંબંધથી ઉત્પન્ન થનારી વૃત્તિઓને નિમ્ન નિષેધ કરે તે વૃત્તિક્ષચ. જુએ યોગબિંદુ છે. ૩૫૭ થી ૩૬૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org