SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય દર્શનોમાં આધ્યાત્મિક વિકાસક્રમ [ ૧૦૫ પાંચમી નિરુદ્ધ ભૂમિકામાં પૂર્ણ કલાએ પહોંચે છે. તેથી આ રીતે ભાષ્યકારની વિચારસરણીનું સંક્ષેપમાં પૃથક્કરણ કરીએ તે સાર એટલે જ નીકળે છે કે ક્ષિત, મૂઢ અને વિક્ષિપ્ત એ ત્રણ ભૂમિકાઓમાં અવિકાસ કાળ હોય છે, જ્યારે છેલ્લી બે એકાગ્ર અને નિરુદ્ધ ભૂમિકાઓમાં વિકાસક્રમ અથવા આધ્યાત્મિક ઉત્ક્રાન્તિને ક્રમ હોય છે. આ પાંચ ભૂમિકાઓ બાદની સ્થિતિ એ મેક્ષકાળ. ગવાસિત્રમાં ચેતનની સ્થિતિના સંક્ષેપથી બે ભાગ કરવામાં આવ્યા છે? (૧) અજ્ઞાનમય અને (૨) જ્ઞાનમય. અજ્ઞાનયમ સ્થિતિ એટલે અવિકાસ કાળ અને જ્ઞાનમય સ્થિતિ એટલે વિકાસકાળ. આ વિકાસકાળ પછી મોક્ષકાળ આવે છે. અજ્ઞાનમય સ્થિતિના સાત વિભાગ કરી તેને સાત અજ્ઞાન-ભૂમિકાઓના નામથી ઓળખાવ્યા છે, જેમકે (૧) બીજેશ્રત, (૨) જાગ્રત, (૩) મહાજાગ્રત, (૪) જાગ્રતસ્વમ, (૫) સ્વમ, (૬) સ્વજાગ્રત, અને (૭) સુષમક. ૧. આ પાંચ ચિત્તોમાં પહેલાં બે તે અનુક્રમે રજોગુણ અને તમે ગુણની બહુલતાને લીધે નિશ્રેયપ્રાપ્તિમાં હેત થઈ શકતાં નથી, એટલું જ નહિ, બલકે તે ઊલટો નિશ્રેિયસનાં બાધક છે, જેથી તે યુગેકેટિમાં ગણુંવા યોગ્ય નથી અર્થાત તે બે ચિત્તની સ્થિતિઓમાં આધ્યાત્મિક અવિકાસ હોય છે. વિક્ષિપ્ત ચિત્ત ક્યારેક કયારેક સાત્ત્વિક વિષયેમાં સમાધિ મેળવે છે ખરું, પણ તે સમાધિ સામે અસ્થિરતા એટલી બધી હોય છે કે જેથી તે પણ ગોટિમાં ગણવા ગ્ય નથી. એકાગ્ર અને નિરુદ્ધ એ બે જ ચિત્ત વખતે જે સમાધિ હોય છે તે યાગ કહેવાય છે. એકાગ્ર ચિત્ત વખતે જે વેગ હોય છે તે સપ્રજ્ઞાત અને નિરુદ્ધ ચિત્ત વખતે જે યોગ હોય છે તે અસંપ્રજ્ઞાત. જુઓ પાતંજલદર્શન, પાદ , સૂ ૧ વ્યાસભાષ્ય તથા વાચસ્પતિ મિશ્રની ટીકા. અ. ૨. (૧) પહેલી ભૂમિકામાં અહ-મમત્વ બુદ્ધિની જાગૃતિ નથી હોતી, માત્ર તેવી જાગૃતિની બીજ રૂપે યોગ્યતા હોય છે, તેથી તે બીજાગ્રત કહેવાય છે. આ ભૂમિકા વનસ્પતિ જેવા શુક નિકાસમાં માની શકાય. (૨) બીજી ભૂમિકામાં અહત્વમમત્વ બુદ્ધિ અલ્પાશે જાગે છે, તેથી તે જાગ્રત કહેવાય છે. આ ભૂમિકા કીટ, પતંગ, પશુ, પક્ષીમાં માની શકાય. (૩) ત્રીજી ભૂમિકામાં અત્ય-મમત્વ બુદ્ધિ વિશેષ પુષ્ટ હોય છે, તેથી તે મહા જાગ્રત કહેવાય છે. આ ભૂમિકા મનુષ્ય, દેવ આદિ નિકાયમાં માની શકાય. (૪) ચોથી ભૂમિકામાં જાગ્રત અવસ્થાના અને રાજ્ય–ભ્રમને સમાવેશ થાય છે; જેમકે એકને બદલે બે ચંદ્ર દેખાવા, છીપમાં રૂપાનું ભાન અને ઝાંઝવામાં પાણીની બુદ્ધિ. આ હેતુથી આ ભૂમિકા જાગ્રતસ્વનિ કહેવાય છે. (૫) પાંચમી ભૂમિકામાં નિદ્રા વખતે આવેલ સ્વનિનું જાગ્યા બાદ જે ભાન થાય છે તેને સમાવેશ છે, તેથી તે સ્વન કહેવાય છે. (૬) છઠ્ઠી ભૂમિકામાં વર્ષોનાં વર્ષો સુધી ચાલુ રહેલ સ્વનને સમાવેશ થાય છે. આ સ્વપ્ન શરીરપાત થાય છતાં પણ ચાલુ રહે છે, તેથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy