SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૧૪ ] દર્શન અને ચિંતન વધારે ને વધારે નિર્બળ કરતે પિતાની સહજ સ્થિતિ તરફ આગળ વધત જાય છે. આ સ્થિતિ આધ્યાત્મિક વિકાસક્રમની છે. . આ સ્થિતિની છેવટની મર્યાદા એ જ વિકાસની પૂર્ણતા. આ પૂર્ણતા પ્રાપ્ત થઈ એટલે સંસારથી પર સ્થિતિ પ્રાપ્ત થઈ. તેમાં કેવળ સ્વાભાવિક આનંદનું જ સામ્રાજ્ય હોય છે. આ મેક્ષકાળ. આટલે સામાન્ય વિચાર કર્યા પછી હવે તે સંબંધમાં પ્રત્યેક દર્શનના વિચારે ક્રમશઃ જોઈએ. વૈદિક દર્શન ઉપનિષદ અને અન્ય ગ્રંથોમાં આધ્યાત્મિક વિચારની પ્રધાનતા હોવાથી તેમાં વિકાસક્રમને લગતા કિરિો મળી આવે એ સ્વભાવિક છે. છતાં વૈદિક સાહિત્યમાં ગદર્શન ઉભા વ્યાસભાષ્ય અને ગવાસિષ એ બે ગ્રંથ એવા છે જેમાં આધ્યાત્મિક વિકાસક્રમ વ્યવસ્થિત રીતે સાંગે પાંગ આલેખાચેલે છે, જ્યારે અન્ય ગ્રંથોમાં તેટલો પૂર્ણ રીતે નથી. તેથી એ બે ગ્રંથમાંથી જ વૈદિક દર્શનની તે સંબંધી માન્યતા અને જણાવીશું. ગદર્શનમાં મહર્ષિ પતંજલિએ મોક્ષના સાધનરૂપે ભેગનું વર્ણન કરેલ છે. વેગ એટલે આધ્યાત્મિક વિકાસક્રમની ભૂમિકાઓ. જે ભૂમિકામાં યોગને આરંભ થાય છે, તે ભૂમિકાથી માંડી અને તે યોગ ક્રમશઃ પુષ્ટ થતાં થતાં જે ભૂમિકામાં પૂર્ણ કક્ષાએ પહોંચે છે ત્યાં સુધીની ચિત્તની ભૂમિકાઓ આધ્યાત્મિક વિકાસક્રમમાં આવી જાય છે. યોગનો આરંભ થયા પહેલાંની ભૂમિકાઓ એ આધ્યાત્મિક વિકાસની ભૂમિકાઓ છે. આ પ્રકારના સૂત્રકારના અભિપ્રાયને સ્પષ્ટ કરવા માટે ભાષ્યકાર મહર્ષિ વ્યાસે ચિત્તની પાંચ ભૂમિકાઓ બતાવી છેઃ (૧) ક્ષિપ્ત, (૨) મૂઢ, (૩) વિક્ષિપ્ત, (૪) એકાગ્ર, અને (૫) નિરુદ્ધ. આ પાંચમાં પહેલી બે એટલે ક્ષિત અને મૂઢ ભૂમિકાઓ અવિકાસ સૂચક છે. ત્રીજી વિક્ષિણ ભૂમિકા એ અવિકાસ અને વિકાસનું સમેલન છે, પણ તેમાં વિકાસ કરતાં અવિકાસનું બળ ઘણું વધારે છે. એથી એકાગ્ર ભૂમિકામાં વિકાસનું બળ વધે છે, અને તે સવિશેષ વધતાં ( ૧ (૧)જે ચિત્ત હમેશાં રજોગુણની બહુલતાથી અનેક વિષયમાં પ્રેમનું હેવાથી અત્યન્ત અસ્થિર હોય છે, તે ક્ષિપ્ત. (૨) જે ચિત્ત તમે ગુણના પ્રાબલ્યથી નિદ્રાવૃત્તિવાળું બને તે મૂઢ. (૩) જે ચિત્ત અસ્થિરતા વિશેષ હોવા છતાં ક્યારેક ક્યારેક પ્રશસ્ત વિષયોમાં સ્થિરતા અનુભવે તે વિક્ષિપ્ત, (૪) જે ચિત્ત એકતાન–સ્થિર બની જાય તે એકાગ્ર. (૫) જે ચિત્તમાં તમામ વૃત્તિઓને નિરોધ થઈ ગયો હોય અને માત્ર સંસ્કો જ બાકી રહ્યા હોય તે નિરુદ્ધ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy