SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦૨] દર્શન અને ચિંતન સમાજનું શ્રેય છે. બળાત્કાર કે લાચારીમાં સ્વીકારાયેલે ધર્મ એ માત્ર પોકળ છે અને પિકળોને ઢાંકવાના પ્રયત્નમાંથી પરિણામ પણ ભીરુતા, નિન્દા જેવા અનિષ્ટ દોષોની પુષ્ટિમાં જ આવે છે. તેથી આ બાબત તત્કાળ સુધારણા માગે છે એ કહેવાની ભાગ્યે જ જરૂર હોય. ૬ભિકની પ્રશ્નપદ્ધતિઃ આપણે ઉપર જોયું કે સભિક તથાગત બુદ્ધને જે પ્રશ્નો કરે છે તે મૂળે ત્યાગમાર્ગ સાથે સંબંધ ધરાવે છે. અહીં બે બાબતે વિચારવા જેવી છે ઃ એક તે આવા પ્રશ્ન કેમ ઉભવે છે તે અને બીજી આવી પ્રશ્નપરંપરાને ઈતિહાસ શું છે તે. ત્યાગ એ આન્તરિક વસ્તુ છે, પણ એની આસપાસ જ્યારે ક્રિયાકાંડનું જાળું અને વેશ તથા ચિહ્નોનું પિડું બંધાય છે ત્યારે ત્યાગ વિનાના એ જાળા અને પિપડામાં પ્રજા સંડોવાય છે. એમાંથી જ્યારે કોઈ વિવેકી અંદરનું ખરું તત્ત્વ તારવી તેને પચાવી લે છે ત્યારે તે એવા પ્રશ્નોને ખુલાસો ખરા અર્થમાં કરે છે. તેમાંથી અન્તસ્યાગી અને બહારના ખોખાનું અત્તર લેકે સ્પષ્ટ સમજવા માંડે છે ત્યાં તે અર્ધશ્રદ્ધા અને અવિવેક વળી પાછાં લેકેને જૂની પરેડમાં ખેંચે છે. આ રીતે વિવેક અને અવિવેકનું દેવાસુરી દ્વન્દ ચાલ્યા કરે છે. સભિક બ્રાહ્મણ, શ્રમણ, મુનિ, શ્રોત્રિય જેવા અનેક પ્રતિષ્ઠિત શબ્દને અર્થ પૂછે છે ને બુદ્ધ તાત્વિક રીતે ખુલાસો કરે છે. આવી પ્રશ્નોત્તરશૈલી કાંઈ નવી નથી; તે બહુ જ પુરાણું અને દરેક પંથના ખાસ સાહિત્યમાં મળે છે. મહાભારતના વન, ઉદ્યોગ, અનુશાસને, શાન્તિ આદિ પર્વોમાં આના બહાળા નમૂનાઓ છે. ગીતામાં સ્થિતપ્રજ્ઞને લગતા પ્રશ્ન એ પણ આ જ શૈલીને નમૂન છે. ઉત્તરાધ્યયન નામક જૈન આગમમાં એવા પ્રશ્નોની હારમાળા છે અને ધમ્મપદ આદિ બૌદ્ધ ગ્રન્થમાં ઠેર ઠેર એવા પ્રશ્નો વીખરાયેલા છે. તે બધા રેચક હોવા ઉપરાંત શબ્દોના શૂળ અને તાત્ત્વિક અર્થોનું અન્તર તારવવામાં બહુ પ્રકાશ ફેકે છે. ૭. ૬૩ દૃષ્ટિએઃ પ્રસ્તુત સારમાં ૬૩ શ્રમણ દૃષ્ટિઓને નિર્દેશ છે, અને બુદ્ધને તેથી પર કહી સ્તવવામાં આવ્યા છે. તે પ્રશ્ન એ છે કે એ ૬૩ દષ્ટિએ કઈ અને બુદ્ધ શ્રમણ છતાં એ બધાથી પર કેમ મનાયા ? આ ૬૩ દૃષ્ટિએ દીપનિકા નામના બૌદ્ધ પિટકના પ્રથમ બ્રહ્મજાલસૂત્રમાં (ખરી રીતે આપણે જેને લેકભાષામાં ભ્રમજાળ કહીએ છીએ તેમાં) ગણાવેલી છે. દૃષ્ટિ એટલે માન્યતા અથવા એક પ્રકારની પકડ. જ્યારે માણસ આવી એક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy