________________
વટબીજને વિસ્તાર
[ ૨૯ ] સાયટીના પ્રયાસોને આ અહેવાલ અનેક દષ્ટિએ બેધપ્રદ અને રસદાયક છે. કેળવણીમાં રસ લેતા કે બીજી રીતે જિજ્ઞાસા ધરાવનાર વાચકને આ દ્વારા ઘણું જાણવાજોગ બાબતની માહિતી પૂરી પાડવામાં આવી છે. એક રીતે આ અહેવાલ ટૂંકે છે, પણ એ એવો શંખલાબદ્ધ અને યથાર્થ હકીકતોથી ભરેલું છે કે એ વાંચવા માંડ્યા પછી પૂરે કર્યા વિના ભાગ્યે જ અટકી શકાય. અહેવાલમાં જે જે કહેવામાં આવ્યું છે તેની યથાર્થતાનાં નિદર્શક પાછલાં પરિશિષ્ટ પણ એટલાં જ અગત્યનાં છે, તેથી આ અહેવાલ વિશેષ આવકારપાત્ર બને છે. મારા જેવા શિક્ષણમાં રસ ધરાવનાર પણ એવા કેટલાય હશે કે જેઓ અહેવાલમાં વર્ણવેલી નાની મોટી બાબતે વિશે સાવ અજ્ઞાન નહિ તે અધૂરું જ્ઞાન ધરાવતા હશે. કેળવણીના કોઈ પણ ક્ષેત્રમાં કામ કરનારને માટે તે આ અહેવાલ એક દીપિકાનું કામ આપે એ છે, એમ મને લાગે છે. | કઈ વ્યક્તિ ફાલેલફૂલેલ અને વિસ્તરેલ વડનું ઝાડ અને એનું બીજ એ બંનેની સરખામણી કરે તે એને પ્રથમ દર્શને એમ જ લાગે કે આ એક જ સૂક્ષ્મ બીજમાંથી આવડું મોટું ગગનવ્યાપી ઝાડ તે સંભવી શકે ખરું ? અને છતાંય એ અણુબીજમાંથી એવડું મેટું ઝાડ ઉદ્ભવ્યાની હકીકત તે નિબંધ સાચી છે. બીજમાંથી એવું ઝાડ આવિર્ભાવ પામે તે પહેલાં બીજે ગળી જવાનું હોય છે. જ્યારે એને ભૌતિક રસ, સ્નેહ, પ્રાણ અને તાપ દ્વારા પિોષણ મળે છે ને એને સંભાળનાર યોગ્ય પુરુષ લાધે છે ત્યારે જ એ વિશાળકાયનું રૂપ લે છે ને અનેકને આશ્રય પૂરું પાડે છે. બરાબર આ જ ન્યાય સંકલ્પને લાગુ પડે છે. સંકલ્પ એ માનસિક હાઈ વટબીજ કરતાં પણ વધારે સૂક્ષ્મ અને અદસ્ય હોય છે, પણ જ્યારે એ સંક૯૫ તપનું બળ મેળવે છે ત્યારે એમાંથી સંકલ્પિત સૃષ્ટિ દશ્ય-મૂર્ત બને છે. આ અહેવાલ વાંચતાં મનમાં એવી છાપ ઊઠે છે કે કોઈ એક મંગલક્ષણે વિશ્વવિદ્યાલયને સંકલ્પ કોઈને મનમાં ઊગે ને પછી એ સંકલ્પના બળે જ આસપાસમાંથી પિષક સામગ્રી તૈયાર કરી ને એ તૈયારીમાંથી જ નાનીમોટી અનેક પ્રજાજીવનને ઉપગી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org