SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ 'ભ૪] દર્શન અને ચિંતન ત્રણ હેવાભાસેની જૂની પરંપરા ચાલી આવતી. એ જ પરંપરાનું દિદ્ભાગે સમર્થન કર્યું અને ધમકીર્તિએ પ્રમાણુવાર્તિક તેમ જ ન્યાયબિંદુમાં અતિવિરતારથી તે તે એક, બે કે ત્રણ સ્વરૂપને અભાવે કેવી કેવી રીતે હેત્વાભાસ બને છે તે બતાવ્યું, અને હેત્વાભાસ પણ ત્રણ જ છે એમ સ્થાપ્યું. હેતુબિંદુમાં પ્રમાણુવાર્તિક કે ન્યાયબિંદુની પેઠે આ બાબતનું વિશદીકરણ નથી, માત્ર હેવાભાસની સૂચના છે. ઉપર્યુક્ત મુખ્ય વિષય ઉપરાંત હેતુબિંદુમાં અનેક એવા વિષયો સ્પષ્ટપણે ચર્ચા છે, જે બૌદ્ધપરંપરાની ખાસ વિશેષતા લેખાય છે, જેમ કે, જાતિ કે સામાન્યવાનું નિરસન, અપહરૂપ સામાન્યનું સ્થાપન, વિશેષમાત્રની અર્થાત ક્ષણિકતની સિદ્ધિ અને પરિણામે નિહેતુકવિનાશવાદ, નિર્વિકટપક પ્રત્યક્ષમાત્રનું પ્રામાણ્ય અને તેમ છતાં સવિકલ્પક અનુમાનમાં પારંપરિક પ્રામાણ્યનું ઉપપાદન, કાર્યકારણભાવ તેમ જ સામગ્રીજન્ય એકસ્વભાવત્વનું સમર્થન, સહકારિત્વનું સ્વરૂપ અને અભાવનું સ્વરૂપ. આ બધા વિષયે એવા છે કે એકનું સમર્થન કરવા જતાં બીજાઓનું સમર્થન અનિવાર્ય બની જાય છે. આ વિષયમાં ક્ષણિક જ કેન્દ્રસ્થાને છે. એને સિદ્ધ કરતાં બીજા વિષયનું સમર્થન આવશ્યક બની જાય છે. ધર્મકીર્તિ પહેલાં ઘણું લાંબા વખતથી આ વિષયેનું સમર્થન બૌદ્ધ દૃષ્ટિએ થતું આવેલું. દા. ત. નિહેતુકવિનાશવાદ જેવા વિષયની ચર્ચા મયનાથના ગચર્યભૂમિશાસ્ત્ર જેટલી તે જૂની છે જ (જુઓ દર્શનદિગ્દર્શન પૃ. ૭૧૮, યોગચર્યાભૂમિ-ચિંતામયી ભૂમિ ૧૧). તે બધી ચર્ચાઓનું સંકલન તેમ જ વિશદી કરણ ધર્મકીર્તિને પ્રમાણુવાર્તિક જેવા ગ્રંથમાં દેખાય છે. હેતુબિંદુમાં પણ ધર્મકીર્તિએ આ વિષય અતિસ્પષ્ટપણે ચર્ચા છે, અને તેમ કરતાં જે જે વિધી વાદ સામે આવતા ગયા તે બધાનું નિર્દય અને છતાં સપરિહાસ (દા. ત. પૃ. ૬૭) નિરસન કર્યું છે. ધર્મકીર્તિએ હેતુબિંદુમાં સ્પષ્ટ ચર્ચાઓ કરી છે ખરી, પણ ચર્ચિત વિષયે એટલા બધા સૂક્ષ્મ અને ગંભીર છે કે જિજ્ઞાસુ માત્ર તેટલા વિવેચનથી પૂર્ણપણે સંતોષાત નથી; એટલે એવા વિસ્તૃતચિ જિજ્ઞાસુઓની દષ્ટિએ અચંટે પિતાની ટીકામાં મૂળ ચર્ચિત બધા જ વિષયોને તેના યથાર્થ રૂપમાં વિસ્તારથી ચર્ચા છે. એટલે તેની ટીકા એક એક વિષય પર બૌદ્ધ વિચારસરણીનું ચિત્ર રજુ કરે છે અને ધર્મકીર્તિનાં કેટલાંક મમળાં વાક્યોનું હાર્દ તલસ્પર્શ પણે પ્રગટ કરે છે. આ ઉપરાંત અર્ચ. એવા પણ છેડા વિષ ચર્ચા છે કે મૂળમાં જેનું કાઈ સૂચન નથી; દા. ત. આદિવાક્ય વિશેની ચર્ચા. 3; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy