SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ હેતુબિન્દુના પરિચય [ ૯૦૭ કે જે વસ્તુતઃ મહેાધિ જેવા અપાર અને અગાધ છે, તેનું એક બિન્દુમાત્ર હાઈ તેમાં એ વિશે એછામાં ઓછે વિચાર છે. ખીજી રીતે કદાચ બિન્દુ’ શબ્દથી ધર્મ કીર્તિ પેાતાના આકરગ્રન્થ પ્રમાણુવાર્તિકગત હેતુવિષયક વિસ્તૃત વિચારના હેતુબિન્દુપ્રકરણમાં અંશમાત્ર છે. એમ પણ સૂચવતા હાય. ગમે તે હા, એટલું તે અસંદિગ્ધ છે કે ધકાતિએ પ્રસ્તુત પ્રકરણમાં હેતુ વિશેના પોતાના મંતવ્યો. તદ્દન સ્પષ્ટપણે રજૂ કર્યાં છે, કે જે મન્તવ્યો બૌદ્ધપર પરાની વિચારસરણી સાથે ખધખેસતાં હોઈ તેમ જ વધારે ત શુદ્ધ હાઈ આગળના બૌદ્ધ તર્કશાસ્ત્રમાં એકસરખી રીતે પ્રતિષ્ઠા પામ્યા છે અને માટે ભાગે ખીજા વિરાધી વિચારાનું સ્થાન બૌદ્ઘપર પરામાં ધર્મકાતિ બાદ રહ્યું જ નથી. ખરી રીતે દિનાગે જે પ્રભાવ તર્કશાસ્ત્રમાં પાડેલા તેનું સ્થિરીકરણ અને વિશદીકરણ ધ કીર્તિએ કયુ છે, અને બૌદ્ધ તર્કશાસ્ત્રની એક ચોક્કસ વિચારસરણી ઘડી છે. તેથી જ આપણે જોઈ એ છીએ કે ન્યાય-વૈશેષિકમીમાંસક જેવી વૈદિક પર પરાના ગ્રન્થોમાં અને જૈન તગ્રન્થોમાં દિનાગ અને ધકીતિનું પ્રમાણમાં વધારેમાં વધારે ખંડન થયેલું છે—જાણે કે તે એ ઔહેતર દર્શનાના મહાન પ્રતિસ્પર્ધી હાય ! આ સ્થળે દિનાગકૃત પ્રમાણસમુચ્ચય, ન્યાયમુખ અને હેતુચક્ર સાથે ધર્માંકાતિના સંસ્કૃતમાં ઉપલબ્ધ એવા જ ત્રણ ગ્રન્થોની વિષય અને શૈલીની દૃષ્ટિએ તુલના કરવી યોગ્ય છે. પ્રમાણસમુચ્ચયમાં બધાં જ પ્રમાણાની મુખ્યપણે ચર્ચા છે, તે તે સવ્રુત્તિક કારિકાબદ્ધ છે. ન્યાયમુખમાં મુખ્યપણે અનુમાનની ચર્ચા છે; જેમકે સિટ્રુસેનકૃત ન્યાયાવતારમાં. હેતુચક્રમાં મુખ્યપણે ન્યાયાંગભૂત હેતુસ્વરૂપની ચર્ચા છે. ધર્મજાતિનું પ્રમાણુવાતિ કે તે પ્રમાણસમુચ્ચયની વ્યાખ્યા. હાઇ તેમાં તેના જ વિષય આવે એ સ્વાભાવિક છે, પણ એને પ્રમાણવિનિશ્ચય ગ્રન્થ મુખ્યપણે બધાં જ પ્રમાણેાનું નિરૂપણ કરે છે, જ્યારે ન્યાયબિન્દુમાં મુખ્યપણે અનુમાનની જ ચર્ચા છે, અને હેતુબિન્દુમાં હેતુચક્રની પેઠે મુખ્યપણે હેતુસ્વરૂપની ચર્ચા છે. હેતુબિન્દુમાં હેતુનું સ્વરૂપ એક જ કારિકામાં નિર્દેશી તે વિશે તેની વ્યાખ્યામાં વિશેષ શહાપાહ લખાણથી કરવામાં આવ્યા છે, જ્યારે ન્યાયબિન્દુના ખીજા પરિચ્છેદમાં હેતુના સ્વરૂપ વિશે બૌદ્ધ સિદ્ધાન્તાના સૂત્રરૂપે માત્ર ઉક્તિસંગ્રહ છે, પરંતુ પ્રમાણવાર્તિકના સ્વાર્થીનુમાન પરિચ્છેદમાં સમગ્ર હેતુબિન્દુમાં લખાણથી ચર્ચાયેલ વિષય પણ ધણા જ લખાણથી સ્વાપન્નત્તિ સહિત ૩૪૨ કારિકામાં ચર્ચાયેલો છે. હેતુબિન્દુમાં જે ગદ્ય ભાગ છે તે સમગ્ર પ્રમાણવાતિ કની સ્વાર્થોનુમાનની વૃત્તિમાં આવી જ જાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy