SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮૨] દર્શન અને ચિંતન હતો કે જ્યારે રાષ્ટ્રકાર્ય અને રાષ્ટ્રીય પ્રવૃત્તિ એ શબ્દ સાંભળતાં જ કાનમાં શસ્ત્રને ખણખણાટ સંભળાતો. તે વખતે અહિંસાના ઉપાસકે એવું પ્રતિપાદન કરતા કે જૈન ધર્મ અહિંસામૂલક હોવાથી હિંસા સાથે સંકલિત રાષ્ટ્ર કાર્ય કે રાષ્ટ્ર ક્રાંતિમાં સાચે જૈન કેવી રીતે જોડાઈ શકે ? તરત જ બીજે યુગ એવો આવ્યો કે રાષ્ટ્રોત્થાનની પ્રત્યેક પ્રવૃત્તિ અહિંસા ઉપર ગેઠવાઈ અને તે દૃષ્ટિએ ચલાવવામાં આવી. આ વખતે અહિંસા સિદ્ધાન્તનો અનન્ય દાવો કરનાર કેટલાક ત્યાગીઓ અને પંડિત કહેવા લાગ્યા છે કે રાજકીય પ્રવૃત્તિ યા રાષ્ટ્રીય પ્રવૃત્તિમાં અહિંસાનું પાલન શક્ય નથી. અહીં પ્રશ્ન એ છે કે અહિંસાનું પાલન ક્યાં અને કેવી રીતે શક્ય છે, એ તે પક્ષકાએ જણાવવું જોઈએ. જે રાષ્ટ્રીય પ્રવૃત્તિમાં એમને અહિંસાની શકયતા ન જણાતી હોય તે સામાજિક અને કૌટુમ્બિક પ્રવૃત્તિમાં એની શક્યતા કઈ રીતે સંભવે ? છેવટે તે એવા વિચારકોને મતે અહિંસાની શક્યતા એક માત્ર મુનિમાર્ગ અને મુનિ-આચારો સિવાય અન્યત્ર સંભવવાનું ભાગ્યે જ ફલિત થશે અને મુનિમાર્ગ કે મુનિ–આચાર એટલે છેવટે એકાંતિક નિવૃત્તિ કે નિયિતા એ જ અર્થ ફલિત થશે, જેનું મૂલ્ય તેરાપંથની નિવૃત્તિ કરતાં જરા પણ વધારે સિદ્ધ નહિ થાય. દાનને નિષેધ, સાર્વજનિક હિતગ્રવૃત્તિને નિષેધ, એટલું જ નહિ, પણ જીવદયાપાલન સુધ્ધાને નિષેધ, એ તેરાપંથની નિવૃત્તિ; અને બીજી બાજુ આવી નિવૃત્તિના સંસ્કાર સેવ ગૃહસ્થવર્ગ બને તેટલું વધારેમાં વધારે ધન વગરમહેનતે કે ઓછામાં ઓછી મહેનતે સંધરવાની વૃત્તિવાળો રહે. આ અહિંસા કેટલી સુંદર ! બીજાઓની સુખસગવડને ભોગે સંગ્રહાતા ધન ઉપર ગુરુવર્ગ નભે, પણ તે જ ધનને સમુચિત વિનિયોગ કરવાનો ઉપદેશ સુધ્ધાં આપવામાં તે પાપ માને–આવી અહિંસાની વિડંબના અહિસાનું સ્વરૂપે ન સમજવાને લીધે ઓછેવત્તે અંશે આખા સમાજમાં પ્રવર્તે છે. રાષ્ટ્રીય પ્રવૃત્તિ, જે અત્યારે અહિંસામૂલક શરૂ થઈ છે, તેમાં ખાદીનું સ્થાન છે. કપડાં પહેરવાં જ છે, તો પછી યન્ત્રનિષ્પન્ન અને પરદેશી કપડાં ખરીદી તે વાટે ધનના દુરુપયોગને માર્ગ ખુલ્લે કરવો એમાં અહિંસા છે કે ખાદી અંગીકારી નિરુદ્યોગીઓને બે કેળિયા અન્ન પૂરું પાડવાની સમજ દાખવવી એમાં અહિંસા છે? એ જ રીતે રાષ્ટ્રીય પ્રવૃત્તિનું બીજું અંગ દલિત જાતિઓને ઉદ્ધાર છે. કેણ એ સમજદાર અહિંસાવાદી હશે, જે આ પ્રવૃત્તિને સર્વથા અહિંસામૂલક નહિ માને? અને છતાં આપણે જોઈએ છીએ કે જૈન સમાજના અહિંસેપાસકેએ આ પ્રવૃત્તિને છેક જ અવગણું છે. જે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy