SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ જીવતા અનેકાન્ત [ ૮૧ ગયા અને નાના નાના ગોળમાં વહેંચાઈ ક્ષીણ્વીય થવા લાગ્યા. · વીસા દસાને ઊતરતા ગણે, તા દસા પાંચાને અને પાંચા અઢાઇયાને. સંસ્કાર, ઉંમર અને બીજી બધી યાગ્યતા હોવા છતાં એક જાતના બીજી જાત સાથે અને એક ગાળને ખીજા ગાળ સાથે લગ્નવ્યવહાર ટૂંકાયા. લગ્ન અને ખીજી જરૂરી ખાખતામાં જૈન સમાજ ખીજા સમાજો સાથે છૂટાછેડા કર્યે જ જતા હતા, અને વધારામાં તે અંદરોઅંદર પણ. સંબંધ પાષવાને બદલે તેડવા લાગ્યા. સંકુચિતપણાનું ઝેર માત્ર લગ્નસંબંધના વિચ્છેદ સુધી જ ન અટક્યું, પણ તેણે ધક્ષેત્રમાં પણ પ્રવેશ કર્યો. શ્વેતાંબર અને દિગંબરાના લગ્નસંબંધો વિચ્છિન્ન થયા અને દિગંબર રિકામાં તે આ વિશે એટલે સુધી અસર કરી છે કે તે સમાજને પ્રતિષ્ઠિત પંડિતવગ દિગંબર દસાભાઈ એને પૂજા-અધિકાર પણ કબૂલતા નથી. દસા કામને! દિગંબર ગમે તેવા સંસ્કારી કે વિદ્વાન હાય, પણ તે સર્વસામાન્ય મદિશમાં પૂજા-અધિકાર મેળવી શકતા નથી; એટલું જ નહિ, પણ જો તેણે કચાંય એવે સ્થાને પૂજા કરી, તે તેને ખીજા વર્ગ દ્વારા કાર્ટે ધસડવાના દાખલાએ પણ આજે બને છે, જે અનેકાંતે સદ્ગુણને જ એકમાત્ર નિરભિમાન ઉચ્ચતાની કસોટી કહેલ, તે જ અનેકાંત નિષ્ઠાણુ થતાં આજે ભાઈઓમાં ન સધાય એવા ભાગલા પાડી રહ્યો છે. છેલ્લે રાષ્ટ્રીયતાના પ્રદેશ ઉપસ્થિત થાય છે. જૈન સમાજને ત્યાગીવર્ગ આપમેળે દીર્ઘદષ્ટિપૂર્વક કયારે પણ રાષ્ટ્રભાવના પોષતા રહ્યો હોય એમ ઇતિહાસ જોતાં જણાતું નથી. અલબત્ત, કૈાઈ પરાક્રમી અને સમજદાર નરરત્ના સમાજમાં પાર્ક અને તે મુખ્યપણે પેાતાની સૂઝથી રાષ્ટ્રોદ્ધારનું કામ કરે ને તેમાં જશ મેળવે, તેા પાછળથી જૈન ત્યાગી અને વિદ્વાન વર્ગ પણ તેના રાષ્ટ્રકા ની યશોગાથા ગાય અને પ્રશસ્તિ રચે. ભામાશાહ પ્રતાપને મદદ કરે ત્યાર બાદ તેની યશાગાથા આજ સુધી પણ ગવાતી આપણે સાંભળીએ છીએ. જોવાનું એ છે કે આ રાષ્ટ્રકાર્યની પ્રશંસા સ્વયં વિચારપ્રેરિત છે કે તે લેાકપ્રવાહનું અનુસરણ છે ? જે વસ્તુપાલ, ભામાશાહ કે ખીજા કાઈ પણ તેવા વીરના રાષ્ટ્રોારકાય ને અનેકાંતના વિવેકમાં ધરમૂળથી જ સ્થાન રહ્યું હાત તો તે વિવેક જૈનસમાજમાં એવું કાય સતત ચાલુ રાખવાની અને પોષવાની પ્રેરણા આપત, પણ આપણે એથી ઊલટુ જોઈ એ છીએ. કાઈ પણ ત્યાગી કે ધર્મશાસ્ત્રી પડિત રાષ્ટ્રકથાને વિકથા કહીને ઉતારી પાડે છે અને રાષ્ટ્રીય પ્રવૃત્તિને રાજ્યવિરુદ્ઘાતિક્રમ-અતિચાર કહીને તેમાં જોડાતા ઉત્સાહી યુવાને હતેાત્સાહ કરે છે. . એક યુગ એવા પર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy