SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ 'જીવતે અનેકાન્ત [ ૮૭૩ શાસ્ત્રોની લઘુતા થતી જોઈ મનમાં એક જાતને પ રસ વહે અને જાહેરમાં તે લધુતા દ્વારા પોતાના સંપ્રદાયની મહત્તા સ્થાપવા લલચાય, જેને પરિણામે ખંડન-મંડન ને વાદવિવાદ જન્મે. - આટલી સામાન્ય ભૂમિકા પછી હવે આપણે આપણું મુખ્ય વિષય ઉપર આવીએ. અનેકાંત એ જૈન સંપ્રદાયને મુખ્ય સિદ્ધાન્ત છે, જે તત્ત્વજ્ઞાન અને ધર્મના બન્ને પ્રદેશમાં સભાનપણે માન્ય થયેલ છે. અનેકાંત અને સ્વાદાદ એ બને શબ્દો અત્યારે સામાન્ય રીતે એક જ અર્થમાં વપરાય છે. માત્ર જેને જ નહિ, પણ જૈનેતર સમજદાર લેકે જૈન દર્શન ને જૈન સંપ્રદાયને અનેકાંતદર્શન કે અનેકાંત–સંપ્રદાય તરીકે ઓળખે–ઓળખાવે છે. હમેશાંથી જૈન લેકે પોતાની અનેકાંત સંબંધી માન્યતાને એક અભિમાનની વસ્તુ લેખતા આવ્યા છે અને એની ભવ્યતા, ઉદારતા તેમ જ સુંદરતાનું સ્થાપન કરતા આવ્યા છે. અહીં આપણે જોવાનું એ છે કે અનેકાંત એ વસ્તુ શું છે? અને તેનું જીવિતપણું એટલે શું ? તેમ જ એ જીવતે અનેકાંત આપણું જૈન પરંપરામાં સામુદાયિક દૃષ્ટિએ ક્યારે ય હતે ને અત્યારે પણ છે? અનેકાંત એ એક જાતની વિચારપદ્ધતિ છે. તે બધી દિશાઓથી, બધી બાજુથી ખુલ્લું એવું એક માનસચક્ષુ છે. જ્ઞાનના, વિચારના અને આચરણના કોઈ પણ વિષયને તે માત્ર એક જ તૂટેલી કે અધૂરી બાજુથી જેવા ના પાડે છે અને શક્ય હોય તેટલી વધારેમાં વધારે બાજુએથી, વધારેમાં વધારે વિગતેથી અને વધારેમાં વધારે માર્મિક રીતે તે સર્વ કાંઈ વિચારવા, આચરવાનો પક્ષપાત ધરાવે છે. આ તેનો પક્ષપાત પણ માત્ર સત્યના પાયા ઉપર જ બંધાયેલ છે. અનેકાંતનું જીવિતપણું અગર જીવન એટલે તેની પાછળ, આગળ કે અંદર સર્વત્ર સત્યનું–થાર્થતાનું વહેણ. અનેકાંત એ માત્ર કલ્પના નથી, પણ સત્યસિદ્ધ થયેલી કલ્પના હેઈ તે તત્ત્વજ્ઞાન છે અને વિવેકી આચરણને વિષય હોઈ તે ધર્મ પણ છે. અનેકાંતનું વિતપણું એમાં છે કે તે જેમ બીજા વિષયોને બધી બાજુથી તટસ્થપણે જેવા, વિચારવા, અપનાવવા પ્રેરે છે, તેમ એ પિતાના સ્વરૂપ અને જીવિતપણા વિશે પણ ખુલ્લા મનથી વિચાર કરવા ફરમાવે છે. જેટલું વિચારનું ખુલ્લાપણું, સ્પષ્ટપણું અને તટસ્થપણું તેટલું જ અનેકાન્તનું બળ કે જીવન.. જે અનેકાંતના જીવનની ઉપરની વ્યાખ્યા સાચી હોય, તે આપણે આગળ કે પાછળના કોઈ પણ બંધને સ્વીકાર્યા સિવાય જ તદ્દન નિખાલસ પણે એને વિશે વિચાર કરવો જોઈશે. આ વિચાર કરતાં પ્રથમ પ્રશ્ન કાંઈક નીચે પ્રમાણે ઉદ્ભવે ખરા – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy