________________
૮૭૨ ]
દર્શન અને ચિંતન તત્વજ્ઞાનને જન્મ કઈ ને કઈ સંપ્રદાયને આભારી છે. તત્વજ્ઞાનના વિકાસ અને પ્રચારમાં પણ સંપ્રદાયને મુખ્ય ફાળે છે. એ જ રીતે ધર્મના વિકાસ અને પિષણમાં પણ સંપ્રદાયોને અમુક હિસ્સો છે જ, છતાં માનવજાતની ટૂંકી દૃષ્ટિએ એ જ તત્વજ્ઞાન અને ધર્મના ઝરા જેવા સંપ્રદાયને સાંકડ, બંધિયાર તેમ જ મેલે પણ કરી નાખે છે. અજ્ઞાન અને મોહમાંથી જન્મેલી ટૂંકી દૃષ્ટિ કોઈ એક સંપ્રદાય બહાર બીજા સંપ્રદાયના વાસ્તવિક
અનુભવને જોઈ શકતી નથી. કોઈ એને જેવા કહે તોય તે ડરે છે, ભડકે છે. પિતે પોતાના તરીકે માનેલ સંપ્રદાયમાં પણ એ ખુલ્લા મનથી મેરના સત્યે જેતે નથી. આનું નામ મતાંધતા કે સાંપ્રદાયિકતા છે, મનુષ્યજાતિમાં મતાંધતાને લીધે જે પરિણામ આવ્યાં છે, તેમને તદ્દન ટૂંકમાં નોંધવા હોય તે આ પ્રમાણે નોંધી શકાય:- (૧) તે સત્યસિદ્ધ નહિ થયેલ કલ્પનાઓને પણ તત્ત્વજ્ઞાન તરીકે લેખી તેને તત્ત્વજ્ઞાનની ટિમાં મૂકે છે.
(૨) તે બીજા કોઈએ સત્ય સાબિત કરેલ અને તત્વજ્ઞાન તરીકે લેખાય એવા અનુભવને પણ વિચારતાં, અપનાવતાં કરે છે, પાછો પડે છે.
(૩) તેને જે વાત પિતાના અને બીજાના સંપ્રદાયમાં એકસરખી હેય, તે એકસરખી નથી દેખાતી. એક જ બાબતને તે બરાબર હોય, છતાંય તેને તે પિતાના સંપ્રદાયમાં ચડિયાતી ને ખામી વિનાની માને છે, જ્યારે બીજા સંપ્રદાયમાંની એ જ બાબતને તે પ્રથમ તે સ્વીકારતા જ નથી અને સ્વીકારે તેય તે ઊતરતી કે ખામીવાળી લેખી તેને બરાબરીનું સ્થાન આપી શકતો નથી.
(૪) તેને એક અથવા બીજી રીતે પિતાની માન્યતાઓનું શ્રેષ્ઠપણું – પછી તે વાસ્તવિકમાં હોય કે નહિ લેકમાં મનાતું થાય એ ગમે છે, અને એવા શ્રેષ્ઠપણાને માનવા-મનાવવાની ધૂનમાં તે બીજા કોઈ પણ સંપ્રદાયની તેટલી જ શ્રેષ્ઠ બાબતને—તેટલા જ કીમતી અનુભવોને, બને તેટલું વધારેમાં વધારે ઉતારી પાડવા પ્રેરાય છે.
. (૫) તે આચારણમાં ગમે તેટલે મોળો હોય, પિતાની બધી જ નબળાઈિએ જાણ પણ હોય અને પિતાના સંપ્રદાયમાંની સામૂહિક કમજોરીઓ
જાતે અનુભવી વ્યક્તિગત દષ્ટિએ સ્વીકારતા પણ હોય, છતાં તેને પિતાના સંપ્રદાયના પ્રવર્તકે, આગેવાને કે શાસ્ત્રોની મહત્તા સચવાઈ રહે એવું જ મનમાં થયા કરે છે અને બીજા સંપ્રદાયનાં પ્રવર્તકે, આગેવાનો અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org