________________
આવશ્યકત્રના કર્તા કોણ? ધર્મતનું બીજાનાં ધર્મત સાથે યથાશક્તિ તેલન કરે જ છે. અલબત્ત, એ ખરું છે કે પ્રાચીન પ્રથા અનુસાર તેલનો ઉદ્દેશ ગમે તે રીતે પિતાની વસ્તુને શ્રેષ્ઠ અને બીજાની વસ્તુને કનિષ્ઠ બતાવવાનું હોય છે, ત્યારે આ આધુનિક પ્રથામાં એ એકાંગીપણું કાંઈક દૂર થયેલું જોવામાં આવે છે. આચાર્ય શ્રી. હરિભદ્રજી અને ઉપાધ્યાય શ્રી. યશોવિજયજીની કૃતિઓમાંથી એવા સંખ્યાબંધ વિચારે તારવી શકાય એમ છે કે જે માત્ર તટસ્થ તુલનાત્મક દૃષ્ટિએ કરાયેલા છે. વળી, આપણે પ્રાચીન કાળમાં થયેલું એ જ બધું ક્યાં કરીએ છીએ ? ઘણું જૂનું છોડીએ છીએ અને નવું સ્વીકારીએ છીએ. જે તુલનાત્મક પદ્ધતિ સર્વગાા થતી જતી હોય તો તે દૃષ્ટિએ આવશ્યકક્રિયાનું તોલન કરવામાં હું તેનું મહત્ત્વ જોઉં છું. સમભાવ એ મુખ્ય જૈનત્વ છે. તેને આવિર્ભાવ માત્ર કુળ-જૈન કે રૂઢ–જૈનમાં જ હોય અને અન્યત્ર ન હોય એમ તે જૈન શાસ્ત્ર કહેતું જ નથી. જૈન શાસ્ત્ર ઉદાર અને સત્યાગ્રાહી છે, તેથી તે જાતિ, દેશ, કાળ કે રૂઢિનું બન્ધન ન ગણકારતાં જ્યાં જેવું તત્વ સંભવે ત્યાં તેવું જ વર્ણવે છે. આ કારણથી જૈન આવશ્યક્રક્રિયાની જૈનેતર નિત્ય કર્મ કે સધ્યા આદિ સાથે તુલના કરવામાં જે બીજાઓ દૂષણ માને છે તેને હું ભૂષણ માનું છું, અને આ વાતને વધારે તે સમય જ સિદ્ધ કરશે.
પહેલા મતભેદને વિષય કર્તાને સમયને છે. ઉપલબ્ધ સંપૂર્ણ આવશ્યકસૂત્ર ગણધરકૃત નહિ, પણ અન્ય કોઈ વિરકત છે એવા મારા વિચારનું તાત્પર્ય જે કાઈ ટીકાકાર એવું કાઢતા હોય કે આ વિચાર આવશ્યકની પ્રાચીનતા વિષયક લેકશ્રદ્ધાને લેપ કરે છે અને તે દ્વારા આવશ્યકક્રિયાની મહત્તા ઘટાડી અને તેના હાસમાં નિમિત્ત થાય છે, તો ખરેખર તે ટીકાકારે મારા કરતાં સત્યને જ વધારે અન્યાય કરશે. હું સંપૂર્ણ મૂળ આવશ્યક ગણધરત નથી માનતો, પણ તેના કર્તા સ્થવિરેને લગભગ ગણધર સમકાલીન અગર લગભગ તેટલા જ પ્રાચીન માનું છું, અને તેથી આવશ્યક સૂત્રની પ્રાચીનતા જરાયે લુપ્ત થતી નથી. કદાચ કોઈ અંશમાં પ્રાચીનતા વિશે જે લેકવિશ્વાસ ઓછો થાય છે તેથી ડરવાનું શું ? જે વસ્તુ સારી અને શ્રેષ્ઠ ન હોય તો તેને કેવળ પ્રાચીનતાને પિશાક પહેરાવી જગતમાં કઈ પણ વિશેષ પ્રતિષ્ઠિત નહિ કરી શકે. તેથી ઊલટું, જે વસ્તુ સારી છે અને જે સત્ય છે તેના પર પ્રાચીનતાને પિષાક નહિ હોય તેપણ તે પ્રતિષ્ઠિત જ થવાની, અને કાળક્રમે તે જ વસ્તુ પ્રાચીન બનવાની. પરંતુ આ પ્રભક તર્ક જાળમાત્રથી હું કોઈને મારા વિચાર તરફ આકર્ષવા નથી ઈચ્છતો. પ્રસ્તાવના પ્રસિદ્ધ થયે આટલાં વર્ષ વ્યતીત થયાં. તે દરમિયાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org