________________
સ્મૃતિશેષ
[૨૩]
શ્રી સંજ્ઞાથી જે નિબંધાવળી “અખંડ આનંદ”માં આજ લગી પ્રસિદ્ધ થતી રહી છે, તે તરફ પ્રથમથી જ મારું ધ્યાન ગયેલું. બીજા લેખે ન વંચાય તે પણ એ નિબંધિકા સાંભળવાની લાલચ શમી નથી, એમ યાદ આવે છે. હું પ્રથમ જાણ ન હતો કે એના લેખક મારા એક સુપરિચિત સજજન છે. એ નિબંધિકાઓની મારા મન પર જે છાપ ઊઠતી જતી હતી, તે મને એમ માનવા પ્રેરતી હતી કે આને લેખક કઈ સૂક્ષ્મચિંતક અને પ્રાંજલ લખાણની શક્તિ ધરાવતા હોવા જોઈએ.
એ નિબંધિકાઓ સાંભળતી વખતે મને ઇમર્સનનાં તત્ત્વચિંતનની અને કાકા કાલેલકરે ગીતાધર્મમાં લખેલા દેવી સંપત ઉપરના નિબંધોની યાદ આવ્યા કરી છે, અલબત્ત, બધા ચિંતક અને લેખકેની વિચાર તેમ જ લેખનપ્રક્રિયા કાંઈ તદ્દન સમાન હોતી નથી.
જ્યારે મેં જાણ્યું કે એ પ્રકારની નિબંધિકાઓને સંગ્રહ છપાયો છે, ત્યારે મેં હૃદયથી એને આવકાર્યો. એક તો ક્રમે ક્રમે સામયિકોમાં પ્રસિદ્ધ થયેલાં લખાણે સૌને એકસાથે સુલભ નથી હોતાં, અને જેઓ પાસે અંકની કાલિ હોય તેઓ પણ એક એક અંક કાઢી તેને વાંચવા જેટલી ઉત્કટતા ભાગ્યે જ ધરાવતા હોય છે. તેથી ઊલટું, જ્યારે એક સામ સંગ્રહ હાથમાં પડે ત્યારે સહેજે ગમે તેને વાંચવાનું મન થઈ આવે છે. અને એક વાર કોઈ નિબંધે રસ જગાડ્યો તે પછી વાચક એને પૂરેપૂરું વાંચ્યા વિના છેડતે જ નથી.
વળી આ લખાણો નિબંધ કરતાં નિબંધિકા જ વધારે છે. એક તે એ કે તે કંટાળે આપે કે થકવે એવા લાંબા નથી, અને બીજું એ કે દરેકના વિષયો દેખીતી રીતે જુદા જુદા હોવા છતાં, સળંગ જીવનની દૃષ્ટિએ તદ્દન પરસ્પર સંકળાયેલા છે. એની ભાષા જરાય કૃત્રિમ કે સંસ્કૃતના ભારથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org