SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૮૪૯ વિવેણી સ્નાન માતૃભાષાનું માધ્યમ, ગ્રામચના, રચનાત્મક પ્રવૃત્તિઓ, વિકેન્દ્રીકરણ, યંત્રવાદ, કૅગ્રેસ અને રાજકીય પક્ષના સંબ, યુદ્ધનાબૂદી, પાયાની કેળવણું વગેરે જે જે સેરે ગાંધીજીની અહિંસાના પાતાળકૂવામાંથી કદી ન સુકાય એવી રીતે ફૂટી અને વહેવા લાગી છે તેના સ્પષ્ટીકરણમાં લેખકે વાચનચિન્તન ઉપરાંત સ્વાનુભવને પણ ઉપયોગ કર્યો છે. તેથી ગાંધીજી વિશેનું આખું નિરૂપણ હરકોઈને માર્ગદર્શક થઈ પડે તેવું છે. - ગાંધીજી પછી કર્મવેગપર્યવસાયી અહિંસાની જીવંતમૂર્તિસમા આજે સૌની નજરે વિનોબા આવે છે. આમ તે વિનેબા અનેકવિધ પ્રવૃત્તિઓ કરતા જ રહ્યા છે, પણ આજે એમની પ્રવૃત્તિઓને સરવાળે એકમાત્ર “ ભૂમિદાન ” શબ્દમાં સમાઈ જાય છે. લેખકની કર્મશીલ અને ઉદાર દષ્ટિ વિનબાને બરાબર પારખી ગઈ છે. તેથી તેમણે ભૂમિદાનમાં પણ વેગ આપે છે અને આપે છે. ભૂમિદાનયાત્રા પ્રસંગે તેમણે જે કાંઈ કહ્યું હશે તેને સંક્ષેપ પૂર્તિરૂપે આ પુસ્તકમાં મૂક્યો છે, તે એક રીતે સુસંગત છે. જે વ્યક્તિ ગાંધીજીની જીવનદૃષ્ટિને બરાબર સમજી તેને અમલમાં મૂકવાને સતત પ્રયત્ન કરતી આવી હોય, અને જે નવાં નવાં માંગલિક બળને ઝીલવા જેટલી ઉદારવૃત્તિ પણ ધરાવતી હોય તે વ્યકિત વિનોબાજીની વિચારસરણી અને પ્રવૃત્તિથી કદી અલિપ્ત રહી જ ન શકે એમ હું સમજું છું. એટલે પ્રસ્તુત પૂર્તિ એ પણ ગાંધીજીના જ જીવનસ્ત્રોતને એક ભાગ ગણવો જોઈએ. - પ્રસ્તુત પુસ્તકના લેખક છે શ્રી. મનુભાઈ. તેઓ “દર્શક” અને મનુભાઈ પોળીના નામે જાણીતા છે. તેમનાં લખાણે વાચકેમાં એટલાં બધાં પ્રિય થઈ પડ્યાં છે કે એક વાર તેમનું કાંઈ લખાણ વાંચે તે ફરી તેમનાં બીજાં અને નવાં લખાણોની ધમાં રહે છે. તેમનાં લખાણુની ઘણું વિશેષતાઓ છે, પણ તેમાંથી મુખ્ય મુખ્ય ગણાવવી હોય તો તે આ રહી વાક્યો યથાસંભવ ટૂંકાં, ભાષા ઘરગથ્થુ છતાં સંસ્કારી, વાચનની વિશાળતા અને ચિંતનનું ઊંડાણ, અનેકવિધ પ્રજાઉત્થાનની પ્રવૃત્તિઓનો જાતઅનુભવ અને નિર્વેર સ્પષ્ટભાષિતા. આવી વિશેષતાવાળા લેખકનું ત્રિવેણું પુસ્તક એ વાસ્તવમાં ત્રિવેણીતીર્થ” જ બની રહે છે. મેં એમાં સ્વસ્થ મનથી સ્નાન કર્યું છે, શીતળતા અનુભવી છે. જેઓ આમાં સ્નાન કરશે તેઓ મારા અનુભવની સત્યતાને ભાગ્યે જ ઈન્કારશે.” * શ્રી. “દર્શક 'ના પુસ્તક “ વિણતીર્થ ની પ્રસ્તાવના. . ૫૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy