________________
૮૮ ]
દર્શન અને ચિંતન અંતર કરવા અને પારખવાની વિવેકદ્રષ્ટિ વિકસવી જ જોઈએ. જે સાહિત્ય એ કામ ન કરી શકે તે ગમે તેવું હોય છતાં બુદ્ધિ માટે જરૂપ જ છે. આ કસોટીએ પણ તેમની નાનીમોટી વાર્તાઓ વાચકને ઉપયોગી થશે એમ મને લાગે છે. દા. ત. પ્રસ્તુત “મસ્ય–ગલાગલ” નવલનું પ્રકરણ “મરીને માળ લેવાની રીત” જુઓ. એમાં ગાંધીજીના હૃદય-પરિવર્તનનો અથવા એમ કહે કે પ્રાચીન “અવેરેણય વેરાણિ”ને સિદ્ધાંત વ્યક્ત કરવા કરેલું નિરૂપણ વાંચનારમાં વિવેકબુદ્ધિ જાગ્રત કરે છે. એ નિરૂપણ ઉદયન, વાસવદત્તા વગેરે, દિલ સાફ કરી, નિર્ભયપણે, પિતાને હડાહડ વિરોધી માનતા ચંડ પ્રકૃતિના પ્રદ્યોત સામે જ્યારે જાય છે ત્યારે બરાબર ઉપયુક્ત સ્થાને આવે છે.
જયભિખુની વાર્તાઓમાં અનેકવાર દીર્ઘતપસ્વી મહાવીરનું પાત્ર આવે છે. જેને માત્ર પથદષ્ટિએ વિચારવાની ટેવ પડી હોય તે સહેજે એમ માનવા લલચાય કે જયભિખુની દષ્ટિ માત્ર મહાવીરમાં બદ્ધ છે, પણ મને એમના સાહિત્યનો પરિચય એમ કહેવા લલચાવે છે કે તેમણે જન્મસંસ્કાર–પરિચિત નિગ્રંથનાથ મહાવીરને તે માત્ર અહિંસા અને ક્ષમાના પ્રતીકરૂપે ઉલ્લેખ્યા છે. એ દ્વારા તે બધા જ અહિંસા અને ક્ષમાના અનન્ય ઉપાસક ધર્મવીરેનો આદર્શ રજૂ કરે છે. આપણે વાચકે અને સમાચકોએ લેખકના મનની વાત જાણીને જ તેના વિશે અભિપ્રાય બાંધવો જોઈએ, નહિ કે નામ અને પરંપરાને આધારે ! કોઈ કષ્ણુ કે રામની વાત કરે એટલા માત્રથી એમ માની ન શકાય કે તે રામ કે કૃષ્ણ જેટલે બીજા કોઈને આદર કરતો નથી. આવી કલ્પના પતે જ પંથદષ્ટિની સૂચક છે.
વાત નાની હોય કે મેટી, લેખક એની જમાવટ અમુક રીતે, અમુક પ્રસંગ લઈ કરે છે, પણ એની સફળતાની ચાવી એના મૂળ વક્તવ્યની ચંજનાની સિદ્ધિમાં છે. જે મૂળ વક્તવ્ય વાચકના હૃદય ઉપર વ્યક્ત થાય તે એની સિદ્ધિ કહેવાય. આ દૃષ્ટિએ પણ જયભિખુની વાર્તાઓ સફળ છે. દા.ત. એકવાર દૃઢપણે કરેલે શુદ્ધ સંકલ્પ હજાર પ્રલેભન સામે કેવી રીતે અડગ રહે છે, એ વ્યક્ત કરવા સ્થૂલિભદ્રની વાર્તા લખાઈ છે, અને તે મૂળ વક્તવ્યને બરાબર ફેંટ કરે છે. જાતિવાદના ઉચ્ચનીચપણનું સંકુચિત ભૂત માત્ર બ્રાહ્મણ વર્ગને જ નહિ પણ એના ચેપથી બધા જ વર્ગોને વળગ્યું છે. જે જે એ ભૂત સામે થથા તેના વારસે જ પાછા એના પંજામાં સપડાયા. જૈન જેવી ઉચ્ચનીચપણના ભૂતની ભાવના સામે બળવો કરનાર પરંપરા પણ એ ભૂતની દાસ બની. જ્યભિખુએ “મહર્ષિ મેતારજ'માં જેને તેમની મૂળ ભાવનાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org