SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ અનધિકાર ચેષ્ટા [ ૮૩૭ ઉપર કહ્યું જ છે કે જયભિખુ મુખ્યપણે જૈન કથાસાહિત્યને આશ્રય લઈ અનેક સર્જન કરતા રહ્યા છે, પણ આ ઉપરથી સહેજે એમ લાગવાને સંભવ છે કે ત્યારે એ તો સાંપ્રદાયિક દૃષ્ટિ અગર પંથદૃષ્ટિમાં બદ્ધ હશે. મને પણ શરૂઆતમાં એ જ કલ્પના આવેલી, પણ જ્યારે એમનાં લખાણમાંના કેટલાક ભાગે સાંભળ્યા ત્યારે મારે એ ભ્રમ ભાંગે. એમણે જૈન પરંપરામાં પ્રસિદ્ધ અને જૈન સમાજમાં રૂઢમૂળ એવી અનેક બાબતે પિતાની વાર્તાઓમાં ગૂંથી છે ખરી, પણ એ તે પ્રસંગ-વર્ણનનું જમાવટ પૂરતું સ્થૂલ ખોખું છે. જ્યારે તે કઈ સિદ્ધાન્તની અને માન્યતાની ચર્ચા કરે છે ત્યારે જ તેમની પંથમુક્ત દષ્ટિ જવા પામીએ છીએ. દા. ત. ચાલી આવતી પરંપરા પ્રમાણે સાધુઓ કે જતિઓ રાજ્યાશ્રય દ્વારા ધર્મ પ્રચારમાં માનતા, અને તે માટે રાજાને કે બીજા કોઈ સત્તાધારીને રીઝવવા બ્રાહ્મણ અને બૌદ્ધ ભિક્ષુકોની પેઠે વિવિધ પ્રયત્ન કરતા. જૈન પરંપરામાં પેસી ગયેલ ધર્મ પ્રચારમૂલક આવી ગુલામી અને આત્મશ્રદ્ધાની મોળપ સામે જયભિખુએ ભાગ્યનિર્માણ” માં ઠીક ઠીક ટકોર કરી છે. એ અતિહાસિક સત્ય છે કે વિદ્વાને અને ત્યાગીઓ એક અથવા બીજા બહાના તળે સત્તાધારી અને ધનપતિઓના ગુલામ બન્યા, અને તે દિવસે તેમણે પિતાની વિદ્યા અને પિતાના ધર્મને શુદ્ધ રૂપમાં રહેવા ન દીધાં. દેશ-પતનની સાથે માનવતાનું પણ પતન થયું, અને ધર્મને નામે પંથે પરસ્પર સાઠમારીમાં ઊતરી પડ્યા. પંથના અનુયાયીઓ પણ સમયનું હિત વિસારી ખંડ ખંડ બની છાવણીમાં વહેંચાઈ ગયા, અને પછી તે કોઈ એક જ પંથના વાડાઓમાં પણ કલેશદેષને દાવાનલ પ્રગટયો. એટલે સુધી કે તેને લીધે જ્ઞાતિનું બળ તૂટવું, મહાજનનો મેભ ગ, શેઠાઈ માત્ર વારસાગત રહી અને મોટે ભાગે તે દલિતે, ગરીબ ને અસહાયની વહારે આવવાને બદલે તેમને જ વધારે કચરવા લાગી. એ સત્યને જાણે જયભિખુએ પિછાન્યું ન હોય તેમ એવા અનિષ્ટથી સમાજને બચાવવા માટે તેમણે, હેમને યુદ્ધમાં જિતાવવા માટે જપ અને મંત્રતંત્રમાં પડેલ ત્યાગવેશધારી જૈન જતિની ઠીક ઠીક સમાચના કરી છે, અને સૂચવ્યું છે કે જે કોઈ ધર્મમાર્ગ સ્વીકારે તે પછી એને જ રસ્તે ચાલે, અને અધર્મના કાંટા-ઝાંખરાને ધર્મને બે સમજવાની ભૂલ ન કરે, ન બીજાને ભૂલમાં રાખો. મારી દૃષ્ટિએ માત્ર જૈન પરંપરાને જ નહિ, પણ બધી જ ધર્મપરંપરાઓને એમની ચેતવણી ખાસ ઉપગી છે. . જયભિખુ અનેક પ્રસંગે વિશ્લેષણ ઠીક ઠીક કરે છે. હું માનું છું કે કઈ પણ પ્રકારનું સાહિત્ય કેમ ન હોય, તેના વાંચનારમાં સત-અસત વચ્ચેનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy