________________
૮૨૬ ]
દર્શન અને ચંતન
તેમ જ ઉમેરાતાં જાય છે. એ બધાંમાં સરલ અને સગમ્ય જ્ઞાનવિનિમયનુ સાધન તે વાર્તા છે. લગભગ અઢીત્રણ વર્ષનું બાળક થાય ત્યારથી માંડી જીવનની છેલ્લી ક્ષણુ સુધીની જુદી જુદી ઉંમર, સમજણ અને શક્તિની પાયરીમાં એકસરખી રીતે ઉપયેાગી થાય, કંટાળા વિના વધારે ને વધારે જિજ્ઞાસા પેાગ્યે જાય અને જ્ઞાન લેનાર ને દેનાર અનેને શાંતિ અને સ્વસ્થતાના અનુભવ કરાવે એવું સાધન એકમાત્ર કથા-વાર્તા છે. તેથી જ દુનિયાના આખા પટમાં વિસ્તરેલી બધી જ માનવજાતિઓમાં એવુ સાહિત્ય એક અથવા ખીજી રીતે ખેડાયેલું મળી આવે છે. જે સમાજ જેટલા જૂતા અને જેટલા વિશાળ તેટલુ ́ જ તેનુ કથાસાહિત્ય વિવિધ ને વિશાળ. એની મારફત ભાષા, વિચાર અને સંસ્કાર ઘડાય છે તેમ જ વિસ્તરે છે. જેમ વાયુ એ સદાતિ છે તેમ વાર્તાસાહિત્ય એ સદાગતિ છે.
સામાજિક, આર્થિક, રાજકીય કે ધાર્મિક કાઈ પણ બનાવ કે ધટના હાય તા તેનું પ્રતિબિંબ વાર્તા ઝીલે છે. જે ઘટના જેવી બની હાય તેનુ તેવું ચિત્રણ એ ઇતિહાસ છે, પણ ઇતિહાસ સુધ્ધાં એક વાર્તા જ છે. ભૂતકાળના દૂર દૂરના સબધા અને દૂર દૂર દેશના સબંધો વમાન જીવનમાં કેવી રીતે કામ કરી રહ્યા છે, એના ઉપર આપણૅ વચાર કરીએ તો સ્પષ્ટ સમજાશે કે આ ભૂત અને વમાનની સાંકળ માટેભાગે કથાવાર્તામાં જ છે. તેથી એની ઉપેક્ષા કાઈ એ કરી નથી, કેાઈથી થઈ શકી પણ નથી.
કથા-વાર્તા શ્રવ્ય તો છે જ, પણ એની લોકપ્રિયતાએ એને અનેક રીતે દૃશ્ય પણ બનાવી છે. જ્યારે ચિત્રપટ ન હતા, ત્યારે પણ મુંબઈ દેખા, કાશી દેખા, દેખા મથુરાકા ઘાટ' એમ કહી માથે ફલકાની પેટી લઈ ઘેર ઘેર ફરનાર મ ખલીપુત્રા—ચિત્રપ્રદશ કા હતા જ. નાટક-ભવાઈ તા હજી પણ ચાલે જ છે. હજારો વર્ષ પહેલાંનાં શિલ્પ-સ્થાપત્યમાં વાર્તાઓ ઉલ્હી મળી આવે છે. એ બધું તેની લાકપ્રિયતા જ સૂચવે છે.
જ્યાં આવી લોકપ્રિયતા હાય, ત્યાં તેના વાહક એક વિશિષ્ટ વ હાવાને જ. વ્યાસે માત્ર કથા જ ન કરતા કે પુરાણા જ ન સભળાવતા, પણ તેમાંથી કેટલાક પ્રતિભાશાળી નવનવ પ્રકારે વાર્તાઓ રચતા અને તેના પ્રચાર પણ કરતા. ચારણ, ગઢવી અને ભાટાની કામનુ` તા એ જ કામ ! ભેજક, તરગાળામાં પશુ કેટલાક એ જ કામને વરેલા. જેઓ અગાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org