________________
૩૮ ]
દર્શન અને ચિંતe હોય તે પણ પંથમાં પડેલ માણસ તેને લક્ષમાં લેતાં જ નથી અને ઘણીવાર તે તેવાને તરછોડી પણ કાઢે છે.
ધર્મમાં વિશ્વ એ એક જ રોકે છે. તેમાં બીજા કોઈ નાના ચકા ન હોવાથી આભડછેટ જેવી વસ્તુ જ નથી હોતી અને હોય છે તો એટલું જ કે તેમાં પિતાનું પાપ જ માત્ર આભડછેટ લાગે છે. જ્યારે પંથમાં ચોકાવૃત્તિ એવી હોય છે કે જ્યાં દેખે ત્યાં આભડછેટની ગંધ આવે છે અને તેમ છતાં ચેકાવૃત્તિનું નાક પિતાના પાપની દુર્ગધ સુંઘી શકતું જ નથી! તેને પોતે માનેલું એ જ સુવાસવાળું અને પિતે ચાલતો હોય તે જ રસ્તે શ્રેષ્ઠ લાગે છે, અને તેથી તે બીજે બધે બદબો અને બીજામાં પિતાના પંથ કરતાં ઉતરતાપણું અનુભવે છે. - ટૂંકમાં કહીએ તે ધર્મ માણસને રાતદિવસ પિષાતા ભેદસંસ્કારમાંથી અભેદ તરફ ધકેલે છે અને પંથ એ પિછાતા ભેદમાં વધારે અને વધારે ઉમેરે કરે છે, અને ક્યારેક દેવગે અભેદની તક કોઈ આણે તે તેમાં તેને સંતાપ થાય છે. ધર્મમાં દુન્યવી નાની–મોટી તકરાર પણ (જર, જોર, જમીનના અને નાનમ-મોટપના ઝઘડાઓ) શમી જાય છે, જ્યારે પંથમાં ધર્મને નામે જ અને ધર્મની ભાવના ઉપર જ તકરાર ઊગી નીકળે છે. એમાં ઝઘડા વિના ધર્મની રક્ષા જ નથી દેખાતી.
રીતે જોતાં ધર્મ અને પંથનો તફાવત સમજવા ખાતર એક પાણીને દાખલો લઈએ. પંથ એ સમુદ્ર, નદી, તળાવ કે કૂવામાં પડેલા. પાણી જેવો જ નહિ, પણ લેકોના ગાળામાં, ખાસ કરીને હિંદુઓના ગેળામાં પડેલ પાણી જેવો હોય છે. જ્યારે ધર્મ એ આકાશથી પડતા વરસાદના પાણુ જેવો છે. એને કોઈ સ્થાન ઊંચુ કે નીચું નથી. એમાં એક જગાએ એક સ્વાદ અને બીજી જગાએ બીજે સ્વાદ નથી. એમાં રૂપરંગમાં પણ ભેદ નથી અને કોઈ પણ એને ઝીલી કે પચાવી શકે છે. જ્યારે પંથ. એ હિંદુઓના ગળાના પાણી જેવો હોઈ તેને મન તેના પિતાના સિવાય બીજાં બધાં પાણી અસ્પૃશ્ય હોય છે. તેને પિતાને જ સ્વાદ અને પિતાનું જ રૂપ, ગમે તેવું હોવા છતાં, ગમે છે અને પ્રાણુતિ પણ બીજાના ગોળાને હાથ લગાડતાં રેકે છે.
પંથ એ ધર્મમાંથી જન્મેલ હોવા છતાં અને પિતાને ધર્મપ્રચારક માનવા છતાં તે હમેશાં ધર્મને જ વાત કરતે જાય છે. જેમ જીવતા લોહી અને માંસમાંથી ઊગેલે નખ જેમ જેમ વધતો જાય તેમ તેમ તે લેહી અને માંસને જ હેરાનગતિ કરે છે, તેથી જ્યારે એ વધુ પડતે નખ કાપવામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org