________________
સિદ્ધાર્થ પત્નીને પુણ્યપ્રકોપ
[૯] ભાવિ બુદ્ધ થનાર સિદ્ધાર્થે તરુણવયે લગ્ન કર્યું. એની પત્નીનું નામ ગેપા. બને શક્યવંશનાં હતાં અને નેપાલમાં આવેલ કપિલવસ્તુના રહેવાસી. નેપાલ એ પર્વતીય પ્રદેશ છે. સામાન્ય રીતે પર્વતીય જાતિઓમાં સ્ત્રીસ્વાતંત્ર્ય અને સ્ત્રીશક્તિ પ્રધાનપદ ભોગવતી જ હોય છે. તેમાંય આજથી હજારો વર્ષ પહેલાંના સ્વાતંત્ર્યની તો વાત જ શી ? વળી કુમાર સિદ્ધાર્થ અને ગેપ જે શાક્યવંશનાં હતાં તે વંશ પ્રરાક્રમી અને વિશેષે સ્વતંત્રતાપ્રિય હતા; નહિ કે અત્યારે એના વંશજો જે “સાકિયા” કહેવાય છે અને ગુલામી મનોદશા. ભેગવે છે તેના જે.
એવી સ્વતંત્ર હવામાં અને સ્વતંત્ર ખાનદાનીમાં ઊછરેલી ગોપા લગ્ન પછી શ્વસુર પક્ષમાં જાય છે ત્યારે કેટલાંક રૂઢિબળો એના ઘૂંઘટ નહિ કાઢવાના, લાજનું અવગુંઠન નહિ રાખવાના સ્વસ્થ વલણ સામે કાંઈ બબડાટ કરવા, માંડે છે. ગોપાએ જોયું કે આને જવાબ સાધારણ સ્ત્રીની જેમ રિસાઈને કે વાંધાવચકા પાડીને કે ગૃહકલહ જન્માવીને ને આપ; પણ એ વિશેની પિતાની સમજણ અને દૃઢ માન્યતા નિર્ભયપણે રજૂ કરવી. ગોપાએ તેમ કર્યું અને તે પણ પોતાના શ્વસુર શુદ્ધોધન આદિ વડીલો સમક્ષ પિતાનું વક્તવ્ય વિનમ્રપણે પણ અત્યંત મક્કમપણે રજૂ કરીને. ગોપાની એ ઉક્તિઓ એતિહાસિક અવશેષ હોય કે કવિ-લેખક દ્વારા કપાયેલી હોય, તે ગમે તે હો, પણ એ મુકિતસંગ્રહ આજની સ્થિતિમાં જ્યાં જ્યાં ધૂંધટને લીધે અનેક જાતની ગૂંગળામણ સ્ત્રીઓને સહેવી પડે છે ત્યાં સર્વત્ર સ્ત્રી અને પુરુષોને દીવાદાંડી. રૂપ થઈ પડે તેમ છે. તેથી અત્રે એ મૂળ સૂક્તિઓનો ભાવ ગુજરાતીમાં આપવામાં આવ્યો છે. લલિતવિસ્તર અધ્યાય ૧૨ પૃ. ૧૭૮–૧૮૨ ઉપર આવેલ એ મુકિતઓને કોઈ શક્તિશાળી કવિભગિની ગૂજરાતીમાં છન્દોબદ્ધ કરશે તે તે એક ગેય કાવ્ય બની રહેશે અને જે કોઈ યોગ્ય વ્યક્તિ એને સંવાદશૈલીએ ગેય નાટયનું રૂપ આપશે તો તે એ ચમત્કારી અસર ઉપજાવશે. એ ઉક્તિઓ આ રહી?
આયંજન કપડાનું આવરણ ન હોય તોય જતાં-આવતાં, ઊઠતાં– બેસતાં બધે જ શોભી નીકળે છે.
૪૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org