________________
સુગતને મધ્યમમાર્ગ : શ્રદ્ધા ને મેધાનો સમન્વય
[૮] જીવનમાત્રના, ખાસ કરી માનવજીવનના, મુખ્ય બે પાયા છે. શ્રદ્ધા અને મેધા. આ બંને એકમેકથી કદી તદ્દન છૂટા પડી શકતા જ નથી, ભલે ક્યારેક કેઈમાં એકની પ્રધાનતા અને બીજાની અપ્રધાનતા-ગૌણતા હોયજ્યાં અને જ્યારે શ્રદ્ધા તેમ જ બુદ્ધિને સંવાદ, સુમેળ યા પરસ્પરની પુષ્ટિ તેમ જ વૃદ્ધિ કરે એ સમન્વય થવા પામે છે ત્યાં અને ત્યારે માનવજીવન ખીલી ઊઠે છે. જેટલા પ્રમાણમાં એ સંવાદ વધારે તેટલા પ્રમાણમાં માનવજીવનની દીપ્તિ વિશેષ. બુદ્ધના જીવનને વેગ્ય રીતે સમજવાનો માપદંડ આ સત્ય ઉપર પ્રતિષ્ઠિત છે. થીક અને સેમેટિક વિચારધારા
આપણે ઇતિહાસથી જાણીએ છીએ કે ગ્રીસમાં મેધા યા બુદ્ધિશક્તિના વિકાસ ઉપર વધારે પડતો ભાર અપાયેલે, જેને લીધે ત્યાં તત્ત્વચિન્તન તેમ જ અનેક ક્ષેત્રોને સ્પર્શતી મુક્ત વિચારધારાઓ અને સ્વતંત્ર ચચીઓ ખીલી; તેમાંથી આંજી દે એ બૌદ્ધિક ચમકાર અસ્તિત્વમાં આવ્યું, પરંતુ ત્યાં બૌદ્ધિક ચમકારાને જોઈએ તેવું ધાર્મિક બળ યા તે એ સૂક્ષ્મ ચિન્તનને જીવનમાં એગ્ય રીતે ઉતારવાનું શ્રદ્ધાબળ ન ખીલ્યું.
બીજી બાજુ આપણે એ પણ જાણીએ છીએ કે સેમેટિક (યાહૂદી, આરએ આદિ) પ્રજામાં મુખ્યપણે શ્રદ્ધાબળ પ્રગટયું. તેથી ત્યાં ખાસ ખાસ માન્યતાઓને જીવનમાં વણી લેવાને પુરુષાર્થ વિશેષ થશે. ગ્રીસની સૂક્ષ્મ અહિ કહામૂલક ધર્મના યોગ્ય ટેકા વિના માત્ર ફિલસૂફીમાં મુખ્યપણે પરિણમી, તે સેમેટિક પ્રજાની શ્રદ્ધામૂલક ધર્મવૃત્તિ તત્વચિન્તનના સમર્થ પ્રકાશની મદદ વિના ગતિશત્ય ચોકઠામાં મુખ્યપણે પુરાઈ રહી. અલબત્ત, એ બંને દાખલાએમાં થોડાક અપવાદે તો મળી જ આવવાના.
ભારતની સ્થિતિ પહેલેથી સાવ જુદી રહી છે. વેદકાળ કે ત્યાર પછીના. કાળમાં બુદ્ધિ અને શ્રદ્ધાની જે જે ભૂમિકા રચાતી આવી છે ત્યાં સર્વત્ર શ્રદ્ધામૂલક ધર્મ અને બુદ્ધિમૂલક તવચિંતન એ બન્ને સાથે જ ખીલતાં રહ્યાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org