________________
૬૦ ]
દર્શન અને ચિંતન
પૂછડું કે પેટ પકડી મેટું ન દબાવે તે એ સાપ ગમે તેવા બળવાન મદારીને પણ ડંખે, અને તેની પકડ નકામી નીવડે. તે જ રીતે પ્રજ્ઞાથી તેને ખરે અર્થ અને ભાવ જાણ્યું ન હોય એવાં શાસ્ત્રોને લાભ–ખ્યાતિ માટે ઉપયોગ કરનાર છેવટે દુર્ગતિ પામે. આથી ઊલટું, જે પુરુષ પ્રજ્ઞા અને સમજણથી શાસ્ત્રોને અમે યોગ્ય રીતે ગ્રહણ કરે અને તેને ઉપયોગ લાભખ્યાતિમાં ન કરે તે પુરુષ સાણસામાં મોટું દબાવી સાપને પકડનાર કુશળ મદારીની પેઠે સાપના ડંખથી મુક્ત રહે. એટલું જ નહિ, પણ તે સાપનો ગ્ય રીતે ઉપયોગ પણ કરી શકે.”
બુદ્ધની વિશેષતાને સૂચવનાર જે થોડાક દાખલા ઉપર આપ્યા છે તે અને જે આપવામાં નથી આવ્યા તે બધાયથી ચડી જાય તેવો અથવા તે સમગ્ર વિશેષતાના મર્મને ખુલાસો કરે એવો એક દાખલે અંતમાં ન આપું તો બુદ્ધ વિશેનું પ્રસ્તુત ચિત્ર અધૂરું જ રહે.
વળી, ભારતીય તત્ત્વચિન્તકોની વિચાર–સ્વતંત્રતાને દર્શાવતાં પ્ર. એસમૂલરે ઈ. સ. ૧૮૯૪માં પિતાના વેદાંત ઉપરના ત્રીજા ભાષણમાં બુદ્ધની એ જ વિશેષતાને નિર્દેશ કર્યો છે, અને સત્યશોધક તેમ જ સ્વતંત્ર વિચારક સ્વર્ગવાસી કિશોરલાલભાઈએ “જીવનશોધન ની પ્રસ્તાવનાના પ્રારંભમાં પણ બુદ્ધની એ જ વિશેષતાને નિર્દેશ કર્યો છે. હું જાણું છું ત્યાં લગી બુદ્ધ પહેલાં અને બુદ્ધ પછીનાં ૨૫૦૦ વર્ષમાં બીજા કોઈ પુરુષે બુદ્ધના જેટલી સ્વસ્થતા, ગંભીરતા અને નિભર્યતાથી એવા ઉદ્ગારો નથી ઉચ્ચાર્યા, જે વિચાર–સ્વતંત્રતાની સાચી પ્રતીતિ કરાવે તેવા હોય. તે ઉગારે આ રહ્યા અને એ જ
એમની સર્વોપરી વિશેષતાઃ - “હે લેકે, હું જે કાંઈ કહું છું તે પરંપરાગત છે એમ જાણું ખરું માનશો નહિ. તમારી પૂર્વ પરંપરાને અનુસરીને છે એમ જાણીને ખરું માનશે. નહિ. આવું હશે એમ ધારી ખરું માનશો નહિ. તર્કસિદ્ધ છે એમ જાણી ખરું માનશે નહિ, લૌકિક ન્યાય છે એમ જાણું ખરું માનશે નહિ. સુંદર લાગે છે માટે ખરું માનશે નહિ. તમારી શ્રદ્ધાને પિષનારું છે એવું જાણી ખરું માનશે નહિ. હું પ્રસિદ્ધ સાધુ છું, પૂજ્ય છું, એવું જાણું ખરું માનશો નહિ. પણ તમારી પિતાની વિવેકબુદ્ધિથી મારે ઉપદેશ ખરે લાગે તે જ તમે તેનો સ્વીકાર કરજે. તેમ જ જે સૌના હિતની વાત છે એમ લાગે છે જ તેને સ્વીકાર કર.”-(કાલામસુત)
–અખંડ આનંદ, મે ૧૯૫૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org