SearchBrowseAboutContactDonate
Page Preview
Page 704
Loading...
Download File
Download File
Page Text
________________ તથાગતની વિશિષ્ટતાને મર્મ [ ૬૬૯ પછી શિષ્યપણું છાંડવાની વાત એગ્ય છે?” માલુક્ય : “ના.” આટલાથી ભાલુંક્યને ઉકળાટ તે શમે, પણ બુદ્ધ એટલામાત્રથી પતાવી દે તેવા ન હતા. આગળ તેમણે એવી એક વેધક ઉપમા આપી જે બુદ્ધની વલણ સ્પષ્ટ કરે છે. બુદ્ધ કહે છે કે, “કોઈ ઝેરી બાણથી ઘવાય છે. તેના હિતચિંતકે તેના શરીરમાંથી એ બાણ કાઢવા તત્પર થાય ત્યારે પેલે ઘવાયેલ તેમને કહે કે મને પ્રથમ ભારા નીચેના પ્રશ્નોને જવાબ આપ, પછી બાણ કાઢ-. વાની વાત. મારા પ્રશ્નો એ છે કે બાણ મારનાર કઈ નાતન છે? ક્યા ગામનો, ક્યા નામને અને કેવા કદને છે? ઈત્યાદિ. તે જ રીતે એ બાણ શેમાંથી અને કેવી રીતે બન્યું તથા ધનુષ અને દેરી એ પણ શેનાં અને કોણે બનાવ્યાં. છે ? વગેરે. આ પ્રશ્નોના જવાબ ન મળે ત્યાં લગી જે વાગેલ બાણ તે પુરુષ કાઢવા ન દે તે શું એ બચી શકે?” માલુંઠ્યપુત્ર કહે, “નહિ જ.” બુદ્ધ કહે, “તે પછી જે ગૂઢ ને હમેશને માટે અણઊકલ્યા પ્રશ્નો છે એવા, પ્રશ્નોના ઉત્તર સાથે બ્રહ્મચર્યવાસ યા સંયમસાધના યા જીવનશુદ્ધિના પ્રયત્નને શું સંબંધ છે? ભાલુંક્યપુત્ર, ધાર કે વિશ્વ શાશ્વત યા અશાશ્વત, નિર્વાણ પછી તથાગત રહે છે કે નહિ ઈત્યાદિ તે જાણ્યું ન હોય, તેથી તારી સંયમસાધનામાં શું કાંઈ બાધા આવવાની? વળી, હું જે તૃષ્ણા અને તેનાથી ઉદ્ભવતાં દુઃખની વાત કહું છું અને તેના નિવારણને ઉપાય દર્શાવું છું તે તે અત્યારે જ જાણી અને અનુભવી શકાય તેવાં છે. તો એની સાથે આવા અકળ પ્રશ્નોને શો સંબંધ છે? તેથી, હે માલુક્યપુત્ર, મેં જે પ્રશ્નોને અવ્યાકૃત કહી બાજુએ રાખ્યા છે તેની ચર્ચામાં શક્તિ ન વેડફ અને મેં જે પ્રશ્નો વ્યાકૃત. તરીકે આગળ રજૂ કર્યા છે તેને જ સમજ અને અનુસર.” ઉપર લખેલી કેટલીક કંડિકાઓ જ બુદ્ધનું ઉપમાકૌશલ સ્પષ્ટ દર્શાવે છે. તેથી એ દર્શાવવા વધારે ઉપમાઓ ન આપતાં એક ઉપયોગી અને સચોટ મને રમ ઉપમા આપવી યોગ્ય ધારું છું. ક્યારેક અરિષ્ટ નામને એક ભિક્ષુ બુદ્ધના ઉપદેશને વિપર્યાસ કરી લોકોને ભરમાવતે. ત્યારે અરિષ્ટને બેલાવી બીજા ભિક્ષુઓ સમક્ષ બુદ્ધે ઉપમા દ્વારા જે વસ્તુ સૂચવી છે તે જીવનના દરેક ક્ષેત્રે, સૌને માટે, એકસરખી ઉપયોગી છે. બુદ્ધ કહે છે કે, “પ્રતિષ્ઠિત ગણાતાં ગમે તેટલાં શાસ્ત્રો ભણું જાય, મોઢે બોલી જાય, પણ એને સાચે ભાવ પ્રજ્ઞાથી ન સમજે, માત્ર એને ઉપયોગ ખ્યાતિ મેળવવામાં કે આજીવિકા કેળવવામાં કરે, તે એ પિપટિયું જ્ઞાન ઊલટું તેને ભારે નુક્સાન કરે. જેમ કોઈ મદારી મોટા સાપને પકડે, પણ તેનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy