SearchBrowseAboutContactDonate
Page Preview
Page 699
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ ] દર્શન અને ચિંતન લકોને આકથી કે જીતી શક્ત નહિ. મધ્યમમાર્ગ બુદ્ધને સૂઝ એ જ સૂચવે છે કે તેમનું મન કોઈ પણ એકાંગી પૂર્વગ્રહથી કેવું મુક્ત હતું! જ નજરે તરી આવે એવી બુદ્ધની મહત્વની એક વિશેષતા એ છે કે તેઓ પિતાની સૂક્ષ્મ ને નિર્ભય પ્રતિભાથી કેટલાંક તત્ત્વોનાં સ્વરૂપનું તલસ્પર્શી આકલન કરી શક્યા અને જ્યારે જિજ્ઞાસુ તેમ જ સાધક જગત સમક્ષ બીજો કોઈ તે વિશે તેટલી હિંમતથી ન કહે ત્યારે બુદ્ધ પિતાનું એ આકલન સિંહની નિર્ભય ગર્જનાથી, કોઈ રાજી થાય કે નારાજ એની પરવા કર્યા વિના, પ્રગટ કર્યું. - તે વખતના અનેક આધ્યાત્મિક આચાર્યો યા તીર્થકરે વિશ્વના મૂળમાં કયું તત્ત્વ છે અને તે કેવું છે એનું કથન, જાણે પ્રત્યક્ષ જોયું હોય તે રીતે, કરતા, અને નિર્વાણ યા મોક્ષના સ્થાન તેમજ તેની સ્થિતિ વિશે પણ ચોક્કસ નજરે નિહાળ્યું હોય તેવું વર્ણન કરતા; ત્યારે બુધે, કદી પણ વાદવિવાદ શમે નહિ એવી ગૂઢ અને અગમ્ય બાબતે વિશે કહી દીધું કે હું એવા પ્રશ્નોનું વ્યાકરણ કરતા નથી, એનાં ઘૂંથણ ગૂંથતું નથી. હું એવા જ પ્રશ્નોની છણાવટ લેકે સમક્ષ કરું છું કે જે લેકેના અનુભવમાં આવી શકે તેવા હોય અને જે વૈયક્તિક તેમ જ સામાજિક જીવનની શુદ્ધિ તેમ જ શાંતિમાં નિર્વિવાદપણે ઉપયોગી થઈ શકે તેવા હેય. દેશકાળની સીમામાં બદ્ધ થયેલ માણસ પિતાની પ્રતિભા કે સૂક્ષ્મ બુદ્ધિને બળે દેશકાળથી પર એવા પ્રશ્નોની યથાશકિત ચર્ચા કરતા આવ્યા છે, પણ એવી ચર્ચાઓ અને વાદવિવાદને પરિણામે કોઈ અંતિમ સર્વમાન્ય નિર્ણય આવ્યું નથી. એ જોઈ વાદવિવાદના અખાડામાંથી સાધકને દૂર રાખવા અને તાર્કિક વિલાસમાં ખરચાતી શક્તિ બચાવવા બુદ્દે તેમની સમક્ષ એવી જ વાત કહી, જે સર્વમાન્ય હોય અને જેના વિના માનવતાને ઉત્કર્ષ સાધી શકાય તેમ પણ ન હેય. બુદ્ધને એ ઉપદેશ એટલે આર્યઅષ્ટોગિક માર્ગ તેમ જ બ્રહ્મવિહારની ભાવનાને ઉપદેશ. ટૂંકમાં કહેવું હોય તો વેર–પ્રતિવૈરના સ્થાનમાં પ્રેમની વૃદ્ધિ અને પુષ્ટિને ઉપદેશ. બુદ્ધની છેલ્લી અને સર્વાકર્ષક વિશેષતા એમની અગૂઢ વાણી તેમ જ હદયસોંસરાં ઊતરી જાય એવાં વ્યવહારુ દષ્ટાંત અને ઉપમાઓ ભારત વક્તવ્યની સ્પષ્ટતા એ છે. દુનિયાના વાત્મયમાં બુદ્ધની દષ્ટાંત અને ઉપમાશેલીને જે ધરાવે એવા નમૂના બહુ વિરલ છે. એને જ લીધે બુદ્ધને પાલિ ભાષામાં અપાયેલ ઉપદેશ દુનિયાની સુપ્રસિદ્ધ બધી ભાષાઓમાં અનુવાદિત થયે છે ને રસપૂર્વક વંચાય છે. એની સટતા, તેમ જ પ્રત્યક્ષજીવનમાં જ લાભ અનુભવી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy