________________
૬૫૬
દર્શન અને ચિંતન વપરાયેલો મળે છે–ખાસ કરી સ્તુતિઓમાં. માતૃચેટ પણ સ્તુતિમાં જ બુદ્ધ માટે એ શબ્દ વાપર્યો છે. માતૃચેટ પછી બીજા બૌદ્ધ સ્તુતિકારે એ શબ્દ વાપરે છે તે સ્વાભાવિક જ છે. જૈન સ્તુતિકાર સિદ્ધસેન દવાકર, જે ઈ. સ.ના પાંચમા સિકા લગભગ થયેલ છે, તેણે પિતાની બત્રીશીઓમાં મહાવીરની સ્તુતિ તરીકે જે પાંચ બત્રીશીઓ રચી છે, તેને આરંભ જ “સ્વયમ્ભવ મૂતરત્રનેત્ર' શબ્દથી થાય છે. ત્યાર બાદ તે જૈન પરંપરામાં સ્વયંભૂ શબ્દ પુરાતન સ્વયંસંબદ્ધ શબ્દના જેટલી જ પ્રતિષ્ઠા પામે છે. સ્તુતિકાર સમન્તભદ્ર પણ “ ભુવા મૂર્તિના મૃત” શબ્દથી જ સ્તોત્રની શરૂઆત કરી છે. એક વખતે બૌદ્ધ પરંપરામાં એ પણ યુગ આવ્યો છે, કે જે વખતે સ્વયંભૂચત્ય, સ્વયંભૂવિહાર અને સ્વયંભૂબુદ્ધની વિશેષ પૂજા શરૂ થઈ હતી, અને તે ઉપર સ્વયંભૂપુરાણુ જેવા તીર્થમાહામ્યગ્રંથ પણ રચાયા છે. આ પુરાણ નેપાલમાં આવેલ સ્વયંભૂત્ય અને તેના વિહાર વિશે અભુત વર્ણન આપે છે, જે બ્રાહ્મણપુરાણોને પણ વટાવી દે તેવું છે. આ બધું એટલું તે સૂચવે છે કે બ્રાહ્મણ અને પુરાણપરંપરામાં સ્વયંભૂનું જે સ્થાન હતું તેના આકર્ષણથી બૌદ્ધ અને જૈન સ્તુતિકાએ પણ સુગત, મહાવીર આદિને વિશે પિતાની ઢબે સ્વયંભૂપણને આરોપ કર્યો અને તેઓ પોતે પણ (ભલે બીજી દૃષ્ટિએ) સ્વયંભૂને માને છે એમ પુરવાર કર્યું. આ સ્થળે એ પણ સેંધવું જોઈએ કે એક સ્વયંભૂસમ્પ્રદાય હતો જેના અનુયાયી સ્વાયંભુવ કહેવાતા; પછી તે સમ્પ્રદાય કોઈ સાંખ્યોગની શાખા હોય કે પૌરાણિક પરંપરાનું કોઈ દાર્શ. નિક રૂપાન્તર હેય, એ વિશે વધારે શેધ થવી બાકી છે.
* શ્રી આનન્દશંકર ધ્રુવ સ્મારક ગ્રંથમાંથી ઉદ્ધત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org