________________
૭૪ ]
દર્શન અને ચિંતન પિતાના બચાવ માટે અધર્માચરણ કરે તેમાં પણ ધર્મ સહાયક બને છે; જેમ કે ચીનને બૌદ્ધ ધર્મ. ચીન દુશ્મનો સામે હિંસક લડાઈ લડે છે ત્યારે ત્યાંને બૌદ્ધ ધર્મ તેમાં સહાયક બને છે. આ જ ધર્મની રાષ્ટ્રાધીનતા. જે ધર્મ પ્રધાન સ્થાને રહે તો તે રાષ્ટ્રને આક્રમણ કરવા ન દે; તેમાં તે સહાયક ન બને; અને સ્વરાષ્ટ્ર ગુલામીથી મુક્ત થતું હોય ત્યારે પણ તે અધર્મી સાધનોથી તેમાં મદદ ન કરે. ઊલટું, ધમ્ય સાધનો તદ્દન નવાં યોજી તે દેશને ગુલામીથી છોડવે. આ દૃષ્ટિએ જોતાં જે કોઈ પણ દેશ આજે ધર્મની સ્વતંત્રતા સાચવવા મથતું હોય તે તે ભારત જ છે, અને તે પણ ગાંધીજીને હાથે. ગાંધીજીનો ધર્મ સયિ છે અને નિષ્ક્રય પણ છે. પરસવ કરવામાં તે નિયિ છે, જ્યારે સ્વસર્વ સિદ્ધ કરવામાં તે સક્રિય છે. ભારત આક્રમણ તે કરતું જ ન હતું. એટલે તેના ધર્મોમાં આક્રમણકાર્યમાં મદદ કરવાને દોષ તે આવ્યો જ ન હતા, જેવો ઈસ્લામ કે ખ્રિસ્તી ધર્મમાં આવ્યો છે. પણ તેનામાં બીજાનું આક્રમણ સહેવાને દેષ કે અન્યાય ખમવાને દોષ પૂરેપૂરે આવેલે; તેને જ ગાંધીજી દૂર કરવા મથે છે. ધર્મ દ્વારા રાષ્ટ્રને ગુલામીથી મુક્ત કરવાને ગાંધીજીને અપૂર્વ પંથ છે. શ્રી રાધાકૃષ્ણન કે ટાગેર આદિ
જ્યારે ધર્મ ને રાષ્ટ્રભિમાનને સેળભેળ થતા અટકાવવા કહે છે ત્યારે તેમની સામે બધાં અધર્મગામી રાષ્ટ્રનું સજીવ ચિત્ર હોય છે.
આ પુસ્તકનું નામ “ધર્મોનું મિલન” રાખેલું છે તે બહુ જ ઉચિત છે. એમાં સંગ્રહાયેલાં બધાં જ લખાણ ને પ્રવચને મુખ્યત્વે ધર્મમિલનમાં જ પર્યવસાન પામે છે. ધર્મમિલનનું સાધ્ય શું, એ મુખ્ય પ્રશ્ન છે. તેને ઉત્તર શ્રી રાધાકૃષ્ણને પિતે જ “મહાસમન્વય”ની ચર્ચા દ્વારા આપ્યો છે. દરેક ધર્મનાં વિચારી અનુયાયી અને જ્ઞાતાઓને આજે નિશ્ચિત મત છે કે ધર્માન્તરની વટાળ પ્રવૃત્તિ અનિષ્ટ જ છે. સાથે સાથે કોઈ ધર્મને ઉચ્ચતર અભ્યાસી અને વિચારક એવો નથી જે પિતાના પરંપરાગત ધર્મના સ્વરૂપમાં જ સંતુષ્ટ હોય. દરેક સુવિચારી ઉત્સાહી પિતાની પરંપરાગત ધર્મભૂમિકાને છે તે કરતાં વિશેષ ઉન્નત ને વિશેષ વ્યાપક બનાવવા માગે છે. એક તરફથી પત્થાન્તર કે ધર્માન્તરને વધતે જ અણગમે અને બીજી તરફથી પિતપિતાના ધર્મને વિકસાવવાની, વિશેષ વ્યાપક અને શુદ્ધ બનાવવાની ઉત્કટ
અભિલાષા–એમાં દેખીતા વિરોધ છે. પણ એ વિરોધ જ “મહાસમન્વય”ની કિયા સાધી રહ્યો છે. કોઈ એક ધર્મ સંપૂર્ણ નથી, જ્યારે બીજો કોઈ પૂર્ણ. પણે પાંગળો નથી. માત્ર જાગરૂક દૃષ્ટિ અને વિવેકશીલ ઉદારતા હોય તે હરકોઈ ધર્મ બીજા ધર્મમાંનું સારું એટલું બધું અપનાવી શકે અને બીજો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org