SearchBrowseAboutContactDonate
Page Preview
Page 679
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪૪] દર્શન અને ચિંતન પણ માતૃચેટની આ સ્તુતિને પાઠ તેને વિશે અણગમો ઉત્પન્ન નથી જ કરતે. આ શૈલી દ્વારા જાણે માતૃચેટ એવું તત્વ સ્થાપિત કર્યું લાગે છે કે કોઈ પણ. ભક્ત કે સ્તુતિકાર પિતાના ઈષ્ટદેવની ભક્તિ કે સ્તુતિ બીજા કોઈના દોષ જોયા સિવાય અને દેવી કે અસ્વાભાવિક ચમત્કારનો આશ્રય લીધા વિના પણ કરી શકે છે. - અહીં ઈ-સિંગના ઉપર આપેલ એ કથન વિશે વિચાર કરે ઘટે છે કે માતૃચેટની સ્તુતિઓના ઘણા વ્યાખ્યાકાર અને અનુકરણકાર થયા છે. આજે આપણી સામે માતૃચેટનું સમકાલીન કે ત્યાર પછીનું સંપૂર્ણ ભારતીય વાડમય નથી કે જેથી ઈ–સિંગના એ કથનની અક્ષરશઃ પરીક્ષા કરી શકાય. તેમ. છતાં જે કાંઈ વાડ્મયની અસ્તવ્યસ્ત અને અધૂરી જાણે છે, તે ઉપરથી એ તે નિઃશંક કહી શકાય છે કે ઈ-સિંગનું એ કથન નિરાધાર કે માત્ર પ્રશંસા પૂરતું નથી. માતૃચેટની બે પૈકી પહેલી સ્તુતિ “ચતુશતકછે. નાગાર્જુનની . મધ્યમકકારિકા’ ૪૦૦ શ્લોકપ્રમાણ છે. નાગાર્જુનના શિષ્ય આર્યદેવનું ચતુઃશતક પણ તેટલા જ શ્લોકપ્રમાણ છે. બને ગુરુ-શિષ્ય માતૃચેટના સમીપ ઉત્તરવર્તી છે અને બૌદ્ધ શુન્યવાદી વિદ્વાનો છે. તેથી એમ કહેવાનું મન થઈ જાય છે કે કદાચ નાગાર્જુન અને આર્યદેવે માતૃચેટના “ચતુ શતક” નું અનુકરણ કરી પોતપોતાનાં અંતઃશતપ્રમાણે પ્રકરણ લખ્યાં. આ પ્રકરણે ઈ–સિંગ પહેલાં રચાયેલ હોઈ તેના ધ્યાનમાં હતાં જ અને તેનું ચીની ભાષાન્તર પણ છે જ. ઇ–ત્રિસંગે ચતુ શતકના અનુકરણની વાત કહી છે તે સાધાર લાગે છે. જૈન આચાર્ય હરિભદ્ર પ્રાકૃતમાં વીસ વીશીઓ રચી છે, જે ચાર શ્લેક પ્રમાણ થાય છે. જોકે હરિભદ્ર ઈ-સિંગના ઉત્તરવત હોઈએ વિંશિકાઓ ઈ-સિંગની જાણમાં ન હોઈ શકે, છતાં એટલું તો ભારતીય વિદ્વાનોની અનુકરણપરંપરા ઉપરથી કહી શકાય કે કદાચ હરિભદ્રની એ રચનામાં પણ માતૃચેટના ચતુ શતકની, સાક્ષાત નહિ તે પારસ્પરિક પ્રેરણું હોઈ શકે. માતૃ-- ચેટનું બીજું સ્તોત્ર અધ્યદ્ધશતક છે. એનું અનુકરણ તે દિદ્ભાગે કર્યું જ છે; અને દિનાગની એ અનુકૃતિ ટિબેટન ભાષામાં મળે છે. ઈ-સિંગ પહેલાં એ રચાયેલ હોઈ તેની જાણ ઈ-સિંગને હતી જ. દિદ્ભાગનું સ્થાન ભારતમાં અને ચીનમાં તે કાળે અતિગૌરવપૂર્ણ હતું. દિક્લાગ સિવાય બીજા બૌદ્ધ વિદ્વાનોએ પણ અધ્યદ્ધશતકનાં અનુકરણ કર્યા હોય એવો સંભવ છે, કેમ કે અસંગ અને વસુબધુ જેવા અસાધારણ વિદ્વાને પણ માતૃચેટના પ્રશંસક હતા. આગળ વધારે શોધને પરિણામે એવાં અનુકરણો મળી આવે તો નવાઈ નહિ. એ ઉપરાંત , પ્રતિકાર ઉપર પણ ધ્યદ્ધિશતકની સાક્ષાત્ કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy