________________
૬૪૨ ]
દર્શન અને ચિંતન અધ્યશતક તેર વિભાગમાં વહેંચાયેલું છે. દરેક વિભાગ એના વિષયનુરૂપ નામથી અંકિત છે. એ નામ અને વિભાગની રચના મૂળકારની જ હશે. તે વિભાગો નીચે પ્રમાણે છે –
૧. ઉપધારતવ
૨. હેતુસ્તવ ૩. નિરુપમસ્તવ
૪. અદ્ભુતસ્તવ ૫. રૂપસ્તવ
૬. કરુણાસ્તવ ૭. વચનસ્તવ
૮. શાસનસ્તવ ૯. પ્રણિધિસ્તવ
૧૦. માર્ગાવતારસ્તવ ૧૧. દુષ્કસ્તવ
૧૨. કૌશલસ્તવ ૧૩. આનુણ્યસ્ત
છેલ્લાં બે પદ્યો વંશસ્થ છંદમાં અને બાકીનાં બધાં અનુષ્ટ્રપમાં છે. આખા સ્તોત્રનું સંસ્કૃત તદ્દન સરલ, પ્રસન્ન અને નિરાબર શેલીવાળું છે. સ્તુતિકાર માટે એટલી નાનકડીશી સ્તુતિમાં બુદ્ધના આધ્યાત્મિક જીવનની શરૂઆતથી તેની પૂર્ણતા સુધીનું સંક્ષિપ્ત કિંતુ પરિપૂર્ણ ચિત્ર એટલી બધી સાદગી, સચ્ચાઈ ને ભાવવાહિતાથી ખેંચ્યું છે કે તે સ્તોત્ર વાંચનાર અને વિચારનાર ક્ષણભર ભૌતિક જગતની ઉપાધિઓ ભૂલી જાય છે.
સ્તુતિ-સ્તંત્રનું પ્રવાહબદ્ધ અને અખંડ વહેણ તે ઓછામાં ઓછું ઋગવેદના સમયથી ભારતમાં આજ લગી વહેતું આવ્યું છે, પણ માતૃચેટનું પ્રસ્તુત સ્તોત્ર તેના પૂર્વકાલીન અને ઉત્તરકાલીન સ્તોત્રથી કેટલાક અંશમાં જાદું પડે છે, જે આપણું ખાસ ધ્યાન ખેંચે છે. વેદનાં પ્રાચ્ય સૂતો સૂર્ય, ચન્દ્ર, ઉષા આદિ પ્રકૃતિગત અંશોને જ દિવ્યતા અપી તેમ જ ઈન્દ્ર, વરણું આદિ પ્રસિદ્ધ પૌરાણિક દેવ-દેવીઓની ઓજસ્વિની કિતુ તત્કાલીન કાંઈક અગમ્ય ભાષામાં ભાવ અને જીવનભરી સ્તુતિઓ કરે છે, પણ તે સૂક્તો ભાગ્યે જ કઈ અતિહાસિક વ્યક્તિને સ્તવે છે. આગળ જતાં સ્તુતિનો પ્રવાહ બીજી દિશામાં પણ વહે શરૂ થાય છે. બૌદ્ધ પ્રાચીન પિટકામાં અને જૈન આગમાં સ્તુતિએ સંસ્કૃત ભાષાનું કલેવર છોડી પ્રાકૃત ભાષાને આશ્રય લે છે અને સાથે જ તે કાલ્પનિક તેમ જ પૌરાણિક દેવ-દેવીઓને પ્રદેશ છોડી અતિહાસિક વ્યક્તિને વિષય સ્વીકારે છે. પાલિ સુરો બુદ્ધને સ્તવે છે, જ્યારે જૈન સુત્ત મહાવીરને સ્તવે છે. ભાષા અને વિષયભેદ ઉપરાંત આ પાલિ– પ્રાકૃત સ્તુતિઓનું બીજું પણ એક ખાસ લક્ષણ છે અને તે એ કે એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org