________________
૧૨૬ ]
દર્શન અને ચિંતન તારતમ્ય તેઓ ખૂબ દાખલા દલીલથી બતાવે છે; તેથી પણ આગળ વધી તેઓએ શારીરીક અને માનસિક શૌચનું સામાજિક જીવનમાં જે સ્થાન છે અને જે હેવું જોઈએ તે બહુ જ વિગતથી સમજાવ્યું છે. મને ગમે ત્યાં ભમે તે શરીર કાબૂમાં હોય એટલે બસ છે એવું વલણ ધરાવનારને સચોટ જવાબ આપતાં કાકાએ ઠીક જ કહ્યું છે કેઃ “એકાદ ઘરમાં ખૂબ ગંદકી છુપાવી રાખી છે. તે કોઈની નજરે ન પડવા દઈએ તોપણ તેમાંથી રોગને ફેલાવે થવાનો જ. આ વાત જેટલી સાચી છે તેટલું જ એ પણ સાચું છે કે કોઈકે એક જણની ચિત્તવૃત્તિ મલિન હોય તે આખા સમાજ પર તે પિતાનો પ્રભાવ પાડ્યા વિના રહેશે નહિ. એથી ઊલટું, એકાદ જણની ચિત્તવૃત્તિ પવિત્ર, ઉદાત્ત અને આર્ય હશે તે તેની અસર પણ સમાજ પર પહોંચવાની જ.” કાકાએ માનસિક શૌર્ચનું પ્રધાનપણું બતાવતાં દેહાપત્ય અને વિચારાપત્ય એવા બે પ્રકારના અપત્ય વચ્ચેનું અંતર બતાવ્યું છે, તે તેમના વક્તવ્યને સચોટપણે રજૂ કરે છે. આમ તે શૌચ સર્વત્ર સંભળાય અને ગવાય છે, પણ એનું સામાજિક મૂલ્ય કેટલું છે તેને વિચાર વ્યાપકરૂપે હજી સાર્વત્રિક થયો નથી. તેથી ગીતાને આધારે થયેલ આ વિચાર બહુ ઉપયેગી થઈ પડે તેવો છે.
અલેલુપતાની ચર્ચામાં કાકાએ પ્રથમ અનુભવમાં આવતી અનેકવિધ લેલુપતાને નિર્દેશ કર્યો છે. અધિકાર કે સ્વાર્થ લુપતા, સ્વાદલેલુપતા, કામલોલુપતા, એ બધી લેલુપતાઓ કેવી કેવી રીતે બાધક નીવડે છે એ સઘળું તેમણે સામાજિક વ્યવહાર, રાજકારણ અને આહારવિધિમાંથી દાખલાએ ચૂંટી તદ્દન દીવા જેવું સ્પષ્ટ કર્યું છે. જે લેકે ઉન્માદક વાતાવરણ વચ્ચે રહીને અલેલુપતા સાધવાની હિમાયત કરે છે તેમને કાકાએ અકાટય ઉત્તર આપતાં કહ્યું છે કે છેવટે એવી હિમાયત વાવ્યાચાર ભાગી જ વાળે. વળી, જેઓ નિર્મળતાના આદર્શની ખાતર સ્ત્રીઓને પડદામાં રાખવાની અને પુરુષોએ પૂતળી સુધ્ધાં ન જવાની હિમાયત કરે છે તેમને એકાંત પણ બ્રહ્મચર્યના આદર્શ માટે પિચો જ છે એ પણ કાકાએ યથાર્થ રીતે દર્શાવ્યું છે, અને અલેલુપતા વૈયક્તિક કે સામાજિક આરોગ્યમાં કેવું અગત્યનું સ્થાન ભોગવે છે તે સ્થાપિત કર્યું છે.
નાતિમાનિતાની ચર્ચામાં અમાનિત્વને પણ વિચાર કર્યો છે. એને અર્થ માન ન કરવું એટલે જ સીધી રીતે થાય છે; જ્યારે નાતિમાનિતાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org