SearchBrowseAboutContactDonate
Page Preview
Page 654
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતાધર્મનું પરિશીલન [ ૬૧૯ મેક્ષ એટલે વ્યક્તિગત આધ્યાત્મિક વિકાસની જ એક ભૂમિકા છે. કેઈ વ્યક્તિ એવા વિકાસની પરાકાષ્ઠા સાધે તોયે તે તે એક અંગત અને મર્યાદિત સિદ્ધિ છે: પારલૌકિક મોક્ષને જીવન સર્વસ્વ માની ઊંડામાં ઊંડી સાધના કરનારના જીવનગત સણોને વ્યાપક દૃષ્ટિએ સામાજિક ઉત્કર્ષમાં શો ઉપગ? આ વિચારવલણે લેસંગ્રહની અગર તે સામાજિક શ્રેયની પ્રબળ ભાવનાનું રૂપ ધારણ કર્યું. સ્વર્ગની તેમ જ મેક્ષની ભાવનાના પ્રાધાન્ય વખતે જે જે ગુણએ પ્રજાના હૃદયમાં ઘર કર્યું હતું અને જે સદ્ગણોના વિકાસને પૂરી તક હતી તે સદ્ગણે પ્રત્યે લેખસંગ્રહવાદીઓની જરાયે ઉપેક્ષા નહોતી; ઊલટું તેમનું કહેવું એ હતું કે જે સગુણ વિશે. ગંભીર ચિંતકે વિચાર કરે છે અને જેને સાધવા પુરુષાર્થ મથે છે તે સદ્ગણોના ઉપયોગની દિશા માત્ર બદલવાની છે. આથી વૈયક્તિક મોક્ષ થતો. અટકશે નહિ અને સામૂહિક કલ્યાણને માર્ગ વધારે સરળ બનશે. લેકસંગ્રહની આ ભાવનાનાં કેટલાંક બીજે તે ઈશપનિષદ અને મહાયાનની ભાવનામાં પડ્યાં જ હતાં. તે બીજેને વધારે વિકસિતરૂપે ચર્ચવાનો પ્રશ્ન ગીતાકારે હાથમાં લીધો. ગીતાની લેકસંગ્રહ વિષયક મુખ્ય દષ્ટિ સાંપ્રદાયિક આચાર્યોની વ્યાખ્યાઓમાં સાવ ગૌણ બની ગઈ હતી. તેને પ્રકાશ અને. તેનું ઉદ્દઘાટન તિલકે ગીતારહસ્યમાં કર્યા. તિલકે કર્મયોગ દ્વારા જે વસ્તુનું પ્રતિપાદન કર્યું છે તે મુખ્ય વસ્તુનું શ્રી અરવિંદે પૂર્ણગ દ્વારા પિતાની ઢબે નિરૂપણ કર્યું છે. ગાંધીજીએ એ જ કર્મયોગ કે અનાસક્તિયોગનું પિતાની સાવ અનોખી રીતે સમર્થન કર્યું છે. આ રીતે ગીતાના લોકસંગ્રહવિચારની ભાવના સ્પષ્ટપણે તેમ જ પ્રબળપણે સામાજિક સેવાની અને સામાજિક કલ્યાણની વિચાર-દિશામાં પરિણમી. લેકકલ્યાણની વાતને આજે ગીતા દ્વારા એટલું બધું સમર્થન મળે છે કે હરકેઈ ચિંતક કર્મગીની નજર સૌથી પ્રથમ ગીતા પર પડે છે. કાકાએ એ જ લોકસંગ્રહની બલવતી ભાવનાથી પ્રેરાઈ ગીતાધર્મનું સમાજશાસ્ત્ર લખ્યું છે. તેઓ પિતે જ નવેસર વ્યાખ્યા કરવા પાછળ પિતાની. શી દૃષ્ટિ રહી છે તેનું સ્પષ્ટીકરણ “ગીતાધમના કેટલા પ્રકરણમાં, ગીતાધર્મનું જીવન્તપણું” એ મથાળા નીચે, ઐતિહાસિક દષ્ટિએ, નાનાવિધ દાખલા-દલીલ સાથે, અસરકારક રીતે કરે છે. તેમનું આ સ્પષ્ટીકરણ જેઓ પિતાપિતાના ધર્મગ્રંથની “મમી”ની પેઠે પૂજા કરે છે અને તેમાં પૂર્ણપણાને. કે અંતિમપણાને આરેપ કરી અંતે તે ધર્મગ્રંથને દેશકાળ–બાહ્ય જેવા અવ્યવહાર અને માત્ર શ્રદ્ધાસ્પદ બનાવી મૂકે છે તે સૌનાં વિચારચક્ષના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy