________________
૨૧૭ ]
દર્શન અને ચિંતન અસંબદ્ધતા બતાવવા રજૂ કરી છે તે જ વખતે બ્રાહ્મણ સાહિત્યના ભક્તને પણ આજે અસંગત જ લાગવાની. પણ કેશબીજીનું કર્તવ્ય આથી કાંઈક વધારે હતું અને તે મારી દષ્ટિએ એ હતું કે તેમણે બ્રાહ્મણ સાહિત્યમાંથી સારા અને સાત્ત્વિક ભાગે પણ તારવી દેખાડવા જોઈતા હતા. પાછળથી બૌદ્ધ સાહિત્યમાં કેટલીયે અસંબદ્ધતાઓ દાખલ થઈ, છતાં જેમ તેમને મૂળ પિટકમાંથી સરસ ભાગો મળી આવ્યા તેમ એવા સરસ ભાગેને એક મોટા ખજાનો બ્રાહ્મણ સાહિત્યમાં પણ તેમની નજરે ચડત. ખુદ એકલા મહાભારતમાં અહિંસા, સત્ય, મિત્રી, સત્સંગતિ આદિ સગુણ ઉપર બીજા કોઈ શાસ્ત્રથી ન ઊતરે એવું હૃદયગ્રાહી વર્ણન છે. વળી જેની ટીકા કરવાની હોય તેના ગુણો તે વધારેમાં વધારે સાવધાનીથી જેવા ને દોષોની પણ સખત ટીકા કરવી એ મારી સમજ મુજબ અહિંસક રીત છે. એવી સ્થિતિ છતાં બ્રાહ્મણ વર્ગની ટીકા કરતાં કાંબીઝની શૈલી વાચક ઉપર એવી છાપ પાડે છે કે જાણે તે બ્રાહ્મણવર્ગ અને બ્રાહ્મણ જાતિના કટ્ટા વિરોધી હોય–જોકે હું અને બીજા જાણીએ છે કે કોશાબીજી પોતે જ મૂળમાં બ્રાહ્મણ છે ને તેમના મનમાં એ દેશ છે જ નહિ.
ભગવદ્ગીતા વિશે કે શાંબીજી જ્યારે લખે છે ત્યારે તેમની કલ્પનાચાતુરી અને કાવ્યશક્તિ વિશે માન ઊપજ્યા વિના રહેતું નથી. એ છતાંય કેશાં બીજી ગીતા વિરુદ્ધ કહે છે, તે જરાય ગળે ઊતરતું નથી. ગીતામાં જે કાંઈ સુંદર અને - સાત્વિક ભાગ છે તે બૌદ્ધ પરંપરાને પ્રભાવ છે, તેમ જ ગીતાની રચનાના સમય વિશે તેમણે બાંધેલ કલ્પનાઓને પુલ એ બધું તર્કથી વેગળું લાગે છે. એમ તે હરકોઈ માણસ પોતાના માનીતા ને પ્રિય સંપ્રદાય કે સાહિત્ય વિશે એમ કહી શકે કે એની જ છાપ બીજા સંપ્રદાય ને બીજા સાહિત્ય ઉપર છે. જૈન લેકે પણ એ જ રીતે ગીતાની બાબતમાં પિતાની કલ્પના દેડાવી કહી શકે કે તેમાં પ્રતિપાદેલી અહિંસા, ભૂતદયા અને બીજા સાત્વિક ગુણો એ તો જૈન અસરને લીધે છે. ખરી રીતે ગીતામાં જે ગૌરવ અને જે માંભીર્ય છે તે માત્ર કોઈ એક કવિ કે વિદ્વાન અનુભવ સિવાય આણી શકે નહિ. વળી કેશાંબીજીએ ગીતાનું સ્થાન આંકતાં જે સારાનરસા ભાગનું પૃથક્કરણ કરી એમાં મૌલિકતાનો અભાવ બતાવ્યું છે તે તો તર્કની દૃષ્ટિએ ઉપહસનીય લાગે છે. જેમ ભદંત નાગસેને રાજા મિલિન્દ સામે એક રથને દાખલો લઈ પૃથક્કરણ કરતાં બતાવ્યું કે પૈડાં, સુરા, ધરી આદિ અવયવ સિવાય રથ જેવી કોઈ એક વસ્તુ નથી, એ જ રીતે એ અવય પણ પરમાણુ–પંજસિવાય બીજું કાંઈ નથી; મતલબ કે છેવટે એક એક અંશને અલગ અલગ તપાસતાં સમૂહ કે અખંડ સૌન્દર્ય જેવી વસ્તુ જ નથી રહેતી. તે જ પ્રમાણે કોસાંબીજી બારીક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org