SearchBrowseAboutContactDonate
Page Preview
Page 618
Loading...
Download File
Download File
Page Text
________________ વિજયધર્મસૂરિ અને શિક્ષણસંસ્થાઓ [ પ૮૩ પ્રવર્તાવવાનો પ્રયત્ન કર્યો અને એ યુગની શરૂઆત ત્યારથી થઈ. બનારસની અત્યારની સ્યાદવાદ મહાવિદ્યાલય જેવી દિગંબર પાઠશાળાઓ એ શ્રી વિધર્મસૂરિજીના પુરુષાર્થને પ્રતિધ્વનિ છે. • પણ હવે સવાલ એ થાય છે કે એ પુરુષાર્થ આગળ શી રીતે વધારી શકાય? પ્રારંભમાં જે રીતે એ પુરુષાર્થ અમલમાં મૂકવામાં આવ્યો એ રીત તે હવે પુરાણી થઈ ગઈ છે અને તેથી આ યુગમાં એ કારગત થઈ શકે એમ નથી. હવે તે મૂળમાં એ ભાવના-ગૃહસ્થવિદ્વાને તૈયાર કરવાની ભાવના – કાયમ રાખવા છતાં એને મૂર્ત કરવાની રીતમાં ફેરફાર કરવો જ રહ્યો. જે રીત એક કાળે કાર્ય કરી હતી તે સદાય કાર્યકારી બની રહે એ શી રીતે બને ? એટલે હવે નવી રીત જ શેધવી રહી અને તે રીતે તે સમન્વયગામી તુલનાત્મક અભ્યાસની પદ્ધતિ દ્વારા વિદ્વાનને તૈયાર કરવા તે. જૈન સંપ્રદાયના ત્રણે ફિરકાઓમાં ગુરુકુળની ફુરણા થઈ છે એ સાચું છે, પણ તેથી તત્વચિંતક ગૃહસ્થ વિદ્વાનની ઊણપ દૂર થઈ શકી નથી, એ પણ હકીકત છે. આમ થવાનું કારણ એ છે કે પંડિત બનેલા ગૃહસ્થને કામ શું આપવું? એ પ્રશ્નને નિકાલ આપણે ન કરી શક્યા અને પરિણામે આપણી કેળવણીની સંસ્થાઓ છેવટે કેવળ વ્યાવહારિક ક્ષેત્રને અધ્યયનઅધ્યાપનનાં ધામ બની ગઈ બનારસની પાઠશાળા ભલે ગમે તે કારણે અસ્ત બની, પણ બનારસમાં નહિ તે બીજે ગમે તે સ્થળે એ ક્રમ ચાલુ રહે જોઈતું હતુંપરંતુ એ ચાલુ રહ્યો નહિ. મારી નજર સામે જ અનેક સંસ્થાઓ અસ્ત થઈ પણું આમ થવાનું એક અને મુખ્ય કારણ તે સંસ્થાના સંચાલનમાં સાધુઓનું વર્ચસ્વ છે એમ મને સ્પષ્ટ લાગ્યું છે. સંસ્થાના કલ્યાણની દૃષ્ટિએ આપણે સાધુઓને નમ્રભાવે એમ કહી દેવું જોઈએ કે આપ સંસ્થાને દરેક રીતે જરૂર મદદ અને માર્ગદર્શન કરાવતા રહે, પણ સંસ્થાના સંચાલનમાં આપ માથું ન મારે. તેથી નથી સચવાતો તમારે ત્યાગધર્મ અને નથી સધાતું સંસ્થાનું વિદ્યાવિષયક લક્ષ્ય. મહાવીર જૈન વિદ્યાલય જેવી સંસ્થા નભી શકી છે અને પુષ્ટ બની શકી છે એનું કારણ આજ છે. બીજી સંસ્થાઓનું અસ્તગમન પણ આજ હકીકતની સાખ પૂરે છે. માનું છું કે જૈન સાધુઓને જવાબદારીનું ભાન ભાગ્યે જ હોય છે, તેથી તેઓ ન ઈચ્છે છતાં તેમના હસ્તક્ષેપથી સંસ્થા વિકસવાને બદલે વિનાશમાં જ પરિણમે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy