________________
વિજયધર્મસુરિ અને શિક્ષણસંસ્થાએ
[૪૦] શ્રી વિધર્મસૂરીશ્વરના જયંતી-ઉત્સવમાં મેં ૨૫ વર્ષ સુધી ભાગ . નથી લીધે અને આજે હું એમાં ભાગ લઈ રહ્યો છું એ શું સુવર્ણચંદ્રકની
લાલચે? એમ કોઈને સહજ પ્રશ્ન થાય; પણ હું એટલું જ કહ્યું કે શ્રી વિજ્યધર્મસૂરીશ્વરને–તેમનાં શક્તિ અને સામર્થ્યને—હું પિછાનું છું, પણ
એને હું એ રીતે ઉપયોગ કરવા નથી માગતો કે જેથી એ કોઈને માટે કેવળ પ્રચારના સાધનરૂપ બની રહે. બાકી એમના પ્રત્યે મને હમેશાં આદર રહ્યો છે અને તેથી જ તે મેં મારી એક સારામાં સારી ગ્રંથકૃતિ તેમને સમપી છે.
આવી જયંતીને અર્થ હું તો એ જ સમજું છું કે તે વ્યક્તિને ખરા રૂપમાં આપણે સમજીએ અને તેમાંથી જે જીવનમાં ઉતારવા યોગ્ય હેય તેને જીવનમાં ઉતારીએ. બાકી તે ઘણુય જયંતી ઊજવાય છે અને ભૂલી જવાય છે. એ જાણે રેજના અનુભવની વાત બની ગઈ છે. આવી ઉજવણીઓ મારા મન સાથે સંગત થતી નથી.
મારા ખ્યાલ મુજબ વિજયધર્મસૂરીશ્વરને એક વિશિષ્ટ ગુણ એ હતો. કે જે ગુણની આજે પણ જૈન સમાજને જરૂર છે. તે ગુણ એટલે ગૃહસ્થ વિદ્વાનો તૈયાર કરવાની કલ્પના અને એ કલ્પનાને મૂર્તરૂપ આપવાની સૂઝ અને - સાહસ. વિજયધમસૂરિજીના સાહસને ગુજરાતનું ક્ષેત્ર અનુકૂળ ન હતું, તેથી તેમણે કાશીનો માર્ગ ગ્રહણ કર્યો એ જાણીતી બીના છે.
આપણે ત્યાં શ્વેતાંબર સમાજમાં હજુ સુધી પણ ગૃહસ્થ માત્ર શ્રાવકે (સાંભળનારાઓ) જ રહ્યા છે અને તેથી જ વેતાંબર પરંપરાના ઈતિહાસમાં તત્વ જૈન ગૃહસ્થ વિદ્વાન હવાને એકે દાખલે નેંધાયો નથી. દિગમ્બર સમાજમાં જરૂર ગૃહસ્થ વિદ્વાન થયા છે.
વિજયધર્મસૂરીશ્વરને યુગપ્રવર્તક કહેવામાં આવે છે, તેનો અર્થ એટલે જ કે શ્વેતાંબર જૈન સમાજમાં ગૃહસ્થ વિદ્વાને તૈયાર કરવાને યુગ તેમણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org