SearchBrowseAboutContactDonate
Page Preview
Page 615
Loading...
Download File
Download File
Page Text
________________ દર્શન અને ચિંતન વાતો કરે છે. આવા વિદ્વાને કાં તે વસ્તુને યથાર્થપણે સમજતા નથી હતા, અથવા સાંપ્રદાયિક કે એવા કોઈ કારણે આમ માની લે છે, પણ એ સાવ ખોટું છે. ગીતા વાંચીને ઉપનિષદ વાંચીએ તે એમાં કેટલેય વિષય અને શબ્દરચના સમાન જણાયા વગર નથી રહેતાં. જેને એક એક શબ્દ અકાય જે ગણાવવામાં આવે છે તે શંકરાચાર્યના શાંકરભાષ્યને વાંચી બૌદ્ધતાર્કિક વસુબંધુને વાંચીએ તે વસુબંધુના કેટલાય વિચારો શાંકરભાષ્યમાં નોંધાયેલા મળે જ છે. તે શું આ બધા ઉપર ચરીને આરોપ મૂકી શકાય ? માતા અને પુત્રીને સરખાં રૂપ-રંગવાળાં જોઈને શું પુત્રીનું વ્યક્તિત્વ જ વીસરી જવું? ખરી વાત એ છે કે વિદ્યા અને વિચારની પરંપરાઓ તે ચાલી જ આવે છે, તો પછી એની છાયા પોતાના અધ્યયન અને ગ્રંથસર્જનમાં આવ્યા વગર કેમ રહે? પૂર્વની વિદ્યાઓ ઉત્તરની વિદ્યાઓમાં આવે જ, પણ સાચી વિશેષતા તે એ વિદ્યાઓને પચાવવામાં છે. અને આ વિશેષતા હેમચંદ્રમાં બરાબર હતી. એટલે બીજા ના ઉતારાની વાત કરીને એમના પાંડિત્યનું મૂલ્ય ઓછું ન કરી શકાય. મારે કહેવાને એ આશય નથી કે હેમચંદ્ર કરતાં વધારે પ્રતિભાસંપન્ન બીજા કોઈ ન થાય. વાત એટલી જ કે હેમચંદ્રને તેમના યથાર્થ રૂપમાં આપણે પિછાણીએ. હેમચંદ્ર જેવી એક જ વ્યક્તિમાં રહેલ જુદા જુદા વિષયના પાંડિત્યને સમગ્રપણે વિચાર કરીએ તે આપણને એ એન્સાઈક્લોપીડિયા જ લાગે. તેથી હું તેમને સારસ્વતપુત્ર કહું છું. આજે એમ લાગે છે કે જાણે સરસ્વતી નિરાધાર બની ગઈ છે, પણ સરસ્વતી કદી નિરાધાર નથી. આજના ગુજરાતમાં પુરુષો જે વેપારમાં જ રહેવા માગતા હોય તો, તેમને એમ કરવા દઈ, સ્ત્રીઓએ વિદ્યાનું આ કામ ઉપાડી લેવું જોઈએ. હું તો માનું છું કે સહજ કમળ પ્રકૃતિવાળી આપણું સ્ત્રીઓને આ કામ જરૂર વધારે ભાવી જાય. આજે સ્ત્રીઓ ઘરેણાં, કપડાં કે શણગારની પાછળ જે વખત કાઢે છે તે સરસ્વતીની પાછળ કાઢે તે જરૂર એમનું ભલું થાય અને નિરાધાર લાગતી સરસ્વતીને આધાર મળી રહે. આજે તો કેટલીય એવી બહેને છે, જેમાં વિધવા, ત્યક્તાઓ અને ઉમરલાયક કુમારિકાઓ છે, જેઓ દિશાશૂન્ય જેવી દશા ભોગવે છે. પણ જે એ બધી બહેને અને બીજી બહેને પણ સરસ્વતીની ઉપાસનાનું આવું કાર્ય ઉપાડી લે તે જરૂર એમને ઉદ્ધાર થઈ જાય. ' '' આવી સરસ્વતી ઉપાસના માટે હેમચંદ્રનું વિપુલ સાહિત્ય ખૂબ ખૂબ ઉપયોગી થઈ પડે એ નિઃશંક છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy