________________
૫૦૬ ]
દર્શન અને ચિંતન તેને રાજ્ય છોડવાની ફરજ પડી, એટલે કે એના હાથ હેઠા પડ્યા અગર તેણે આપમેળે રાજ્યનો ત્યાગ કર્યો. પણ જ્યારે એણે ઈષ્ટદેવ મહાકાળની ઉપાસના દ્વારા સાચી ધાર્મિક વૃત્તિ અને ન્યાઓ વૃત્તિ કેળવી પિતાની સુવાસ ફેલાવી ત્યારે તેને પ્રજાએ પુનઃ ગાદી ઉપર સ્થાપવા ઇછ્યું. પણ ભૂયરાજ તો એકનો બે ન થતાં તેણે પ્રાપ્ત રાજ્ય મહાકાળને જ અપ્યું. આ વાર્તા એમ સૂચવે છે કે દુરાચારી રાજા પ્રજાના હૃદયમાં સ્થાન નથી પામત; અને જ્યારે દુરાચારી પણ સદાચારી બને છે ત્યારે એક વખત વિફરેલી પ્રજા ફરી તેને સત્કારતા ખમરચાતી પણ નથી. સાથે સાથે એ પણ સૂચવાય છે કે ઉજ્જયિનીના પ્રખ્યાત મહાકાળનો મહિમા લેકેના હૃદયમાં કેટલે હતે ! અને ગુજરાતમાં દ્રમહાલયની આસપાસ કે સોમનાથની આસપાસ જેમ રાજભક્તિ ઊભરાતી તેમ માળવામાંના મહાકાળ પ્રત્યે પણ રાજભક્તિ ઊભરાતી. ગુણગ્રાહી દષ્ટિબિંદુની જરૂર
અહીં એક બાબત નોંધવી યોગ્ય લેખાશે. તે એ કે પ્રાચીન કાળ અને મધ્યકાળના કથાલેખકો માત્ર પિતપોતાની પરંપરા સાથે સંબંધ ધરાવતા હોય એવાં જ પાત્રની કથા ન આલેખતા. ઘણીવાર તેઓ ગુણ ગ્રાહક દૃષ્ટિએ શીલ અને સદાચારનું મૂલ્ય આંકતા, અને તેવાં શીલ કે સદાચાર જ્યાં પણ તેમને દેખાય તે ભણું પૂર્ણ આદરથી અને ઉદાર વૃત્તિથી જેતા. મેરૂતુંગે પ્રબંધચિંતામણિમાં ભૂયરાજનો પ્રબંધ લખ્યું છે તે કોઈ એવા જ ઉદાર ગુણગ્રાહી દષ્ટિબિંદુથી. આ વસ્તુ સાંપ્રદાયિક દૃષ્ટિથી લખતા લેખકેએ અપનાવવા જેવી છે.
ઉપસંહાર તાર્કિક જયંત અને આચાર્ય હેમચંદ્ર કહે છેઃ તા gવ વિથા નવનવીમતિ, અર્થાત પ્રથમની કેટલીક વિદ્યાઓ ફરી ફરી નવાં રૂપ અને નવા પિષક ધારણ કરે છે. નવીન અવતારને ઉદ્દેશ લેકરુચિને સંસ્કારવાનો અને વધારે ને વધારે પિષવાનો હોય છે. વળી એને એ પણ એક ઉદ્દેશ છે કે જે વસ્તુ પ્રથમ માત્ર સંપ્રદાયના વર્તુળમાં જ જાણીતી હોય તેને યોગ્ય રૂપમાં સર્વગમ્ય કરવી અને તેમાં સમાયેલાં માનવીય તત્ત્વોને સર્વોપયોગી દૃષ્ટિથી રજૂ કરવાં. હું સમજું છું કે લેખકનો પ્રાચીન વાર્તાઓને નવું રૂપ આપવાને પ્રસ્તુત પ્રયત્ન એ દૃષ્ટિથી સફળ થયો છે.
આમ તે લેખક મારા કેટલાંક વર્ષો થયાં પરિચિત છે, છતાં અત્યાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org