________________
૫૫૦ ]
દર્શન અને ચિંતન રાસાઓની પ્રાચીનતા
ઉપર જે રાસને નિર્દેશ કર્યો છે તેને થોડે ખુલાસે અત્રે આવશ્યક છે. આચાર્ય હેમચંદ્ર સાહિત્યના વિવિધ પ્રકારમાં “રાસક” પણ એક પ્રકાર ગણાવ્યો છે. ભાગવતમાં રાસપંચાધ્યાયી જાણીતી છે. એ જ રાસ પ્રકાર મધ્ય કાળથી અપભ્રંશ, જૂની ગુજરાતી અને છેક નવા યુગની ગુજરાતીમાં ખેડાતો આવ્યો છે, અને તે રાસુ”, “રાસ” કે “ રાસ' તરીકે જાણીતો છે. કથાપ્રધાન સજઝાય એ આ યુગની વાર્તા કે નવલિકાનું સ્થાન લેતો એક ગેયપ્રકાર છે, જ્યારે રાસ એ આ યુગના નવલસાહિત્યનું સ્થાન લેતા તત્કાલીન કાવ્ય કે મહાકાવ્યનો પ્રકાર છે. રાસમાં મુખ્ય પાત્રની સગસૂત્ર જીવનકથા ગ્રથિત
ઈને તેની આસપાસ અનેક નાનીમેટી ઉપકથાઓ વર્ણવવામાં આવે છે, જેને લીધે તે એક સુથવ ગેયકાવ્ય બની રહે છે.
મેં જે સઝાનો એક સારે સરખે સંગ્રહ યાદ કરેલે તેમાં કેટલીયે સઝાયે એવી હતી, જેમાં પ્રસ્તુત સંગ્રહમાંની કેટલીક વાર્તાઓ વણાયેલી છે. દા. ત. નંદિષણ, સંયતિરાજ, ધન્નાશાલિભદ્ર, મૃગાવતી, કપિલકુમાર, કેણિક -ચેટક આદિ. તેથી જ્યારે પ્રસ્તુત વાર્તાસંગ્રહ સાંભળવા લાગ્યો ત્યારે એ લગભગ પંચાવન વર્ષ પહેલાંની માનસિક ભૂતાવળના સંસ્કારે જાગ્રત થયા, અને જાણે એ પંચાવન વર્ષના પડદાને સાવ સેરવી તેણે મને એ ભૂતકાળમાં બેસાડી દીધો ! એ જ ભૂતકાળના સંસ્કારવશ હું આજે કાંઈક લખવા પ્રેરાયો છું
અને તેથી જ મેં ‘પુનઃ પંચાવન વર્ષે–' એવું મથાળું પસંદ કર્યું છે. સઝાયસાહિત્યની વ્યાપકતા
ભરદરિયે વહાણ ભાંગે અને ડૂબતો મુસાફર કેઈ નાનકડાશા ખાખરા પાટિયાને મેળવી તેને ટેકે ટેકે કિનારા સુધી પહોંચે અગર તેને આધારે દરિયા વચ્ચે જ બીજા કોઈ સાબૂત વહાણને મેળવી લે તેના જેવી જ, “સઝાય” નામના સાહિત્યપ્રકારથી મળેલ ટેકાને લીધે મારી સ્થિતિ થઈ છે, એમ કહી શકાય.
તે કાળે એ “સઝાય” સાહિત્યનું ગૌરવ મારે માટે નિરાશામાં એકમાત્ર ટેકા પૂરતું અને બહુ તે વખત વિતાડવા પૂરતું હતું, પણ એ ટેકાએ ત્યારબાદનાં પંચાવન વર્ષોમાં જે જે વિદ્યાનાં ક્ષેત્રે ખેડવાની વૃત્તિ જગવી અને જે જે અનેકવિધ સંસ્કાર મેળવવાની તક પૂરી પાડી તે બધાનો સળંગ વિચાર કરતાં એમ લાગે છે કે તે વખતે જે સઝાય” સાહિત્યને હું સામાન્ય લેખતે તેવું એ સામાન્ય નથી. જેમ એને ભૂતકાળ ઘણે છે તેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org