SearchBrowseAboutContactDonate
Page Preview
Page 584
Loading...
Download File
Download File
Page Text
________________ પુનઃ પંચાવન વર્ષે– [૫૪૯ સાય કે રાસાઓનું પંથભેદ ભુલાવવાનું સામર્થ્ય સઝા વિવિધ ઢાળોમાં હોય છે અને એ ઢાળો પણ સુગેય હેઈ ગમે તેને ગાવામાં રસ પડે છે. જેઓ સામાન્ય રીતે પણ ગાઈ ન શકતા હોય તેઓ બીજાઓનું સઝાયગાન સાંભળી તલ્લીન થતા હોય છે. ચોરે અને ઠાકુરદ્વારે શ્રાવણ-ભાદરવામાં રામાયણ કે મહાભારતની કથાઓ વંચાતી. ગામના લેકે બપોરે કથા સાંભળવા મળે. કથાકાર મહારાજ કોઈ અનેરી છટાથી કથા કરે અને અર્થ સમજાવે. રસ એટલે બધો જામે છે તેને સાંભળવા જનાર પંથભેદ ભૂલી જાય. જેમ રામાયણ, મહાભારત અને ભાગવતની કથાઓમાં પંથભેદ ભુલાવવાનું સામર્થ્ય અનુભવ્યું છે, તેમ જ સજઝાય કે રાસ નામના જૈન ગેય સાહિત્યના લલકાર અને સમજાવટ વખતે પણ પથભેદ ભૂલી શ્રેતાઓ એકત્ર થયાનું ચિત્ર આજે પણ મન સામે ઉપસ્થિત થાય છે. કેઈ સુકંઠ સાધુ કે સાધ્વી અગર ગૃહસ્થ-શ્રાવક જુદી જુદી સજઝાએ ગાય, રાસની ઢાળે ગાય ત્યારે મોટી મેદની જામવી, અને આ જ ધાર્મિક કે સાંસ્કૃતિક જીવનનું તે વખતે ગામડાઓમાં અને શહેરમાં પણ એક મહાન પર્વ બની રહેતું. આ પર્વરસે મને અલંબન પૂરું પાડ્યું ત્યારે કેટલાંક સુપાત્ર સાધ્વીઓની દ્વારા મોઢેથી અને લખેલ તેમ જ છાપેલ પુસ્તક ઉપરથી પણ મેં કેટલીક સજા કંઠસ્થ કરી. છંદ, સ્તવન આદિ અન્ય ગેય પ્રકારની સાથે સાથે સજઝાની ઢાળે યાદ કરવાને, એને ભંડોળ વધારવાને અને એને ગાઈ પુનરાવૃત્તિ કરવાનો એક નિત્યક્રમ બની ગયે, જેને હું મારા વિદ્યાવ્યવસાયનું પ્રથમ પગથિયું અને નવી દિશા ઉઘાડવાનું એક કાર કહું છું. સઝાના બે પ્રકાર તે વખતે મેં જે સઝાયો કંઠસ્થ કરેલી તેને મોટે ભાગે તે વખતે મુદ્રિત અને ઉપલબ્ધ સઝાયમાળા” ભાગ પહેલા-બીજામાં હતા. સઝા બે પ્રકારની હોય છે : એક અસવૃત્તિઓના દોષે વર્ણવી સવૃત્તિઓના ગુણો . ગાનારી અને બીજી કોઈ જાણીતી સુચરિત વ્યક્તિને ટૂંકમાં જીવનપ્રસંગ પૂરે પાડી તે દ્વારા ત્યાગ કે સંયમનું વાતાવરણ સર્જનારી. જેમાં ક્રોધ અને લેભ જેવી વૃત્તિઓના અવગુણ દૃષ્ટાંત દ્વારા બતાવવામાં આવ્યા હોય ને ક્ષમા તેમ જ સંતોષના લાભે વર્ણવવામાં આવ્યા હોય તે પહેલે પ્રકાર. જેમાં ભગવાન મહાવીર કે ગૌતમ જેવા માન્ય પુરુષોના જીવનને કોઈને કોઈ પ્રસંગ ગવાયો હેય તે બીજો પ્રકાર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy