________________
જૈન દૃષ્ટિએ બ્રહ્મચર્ય વિચાર
[ ૩૫ ]
જૈન દૃષ્ટિનું સ્પષ્ટીકરણ
બ્રહ્મચર્ય ને લગતી કેટલીક બાબતો ઉપર જૈન દૃષ્ટિએ વિચાર કરીએ તે પહેલાં ‘જૈન દૃષ્ટિ એટલે શું ' તે જાણી લેવું જરૂરતું છે. એથી જૈન ધર્મના વહેણની મૂળ દિશા સમજવાની સરળતા થશે.
માત્ર તત્ત્વજ્ઞાન કે માત્ર આચારમાં જૈન દૃષ્ટિ પૂર્ણ થતી નથી. એ તત્ત્વજ્ઞાન અને આચાર ઉભયની મર્યાદા સ્વીકારે છે. કાઈ પણ વસ્તુને (પછી તે જડ હેાય કે ચેતન) તેની બધી બાજુએને વાસ્તવિક સમન્વય કરવા એ અનેકાંતવાદ જૈન તત્ત્વજ્ઞાનના મૂળ પાયા છે; અને રાગદ્વેષના નાનામેટા દરેક પ્રસંગાથી અલિપ્ત રહેવારૂપ નિવૃત્તિ એ સમગ્ર જૈન આચારને મૂળ પાયે છે. અનેકાન્તવાનું કેન્દ્ર મધ્યસ્થતામાં છે અને નિવૃત્તિ પણ મધ્યસ્થતામાંથી જ જન્મે છે, તેથી અનેકાન્તવાદ અને નિવૃત્તિ એ બન્ને એકબીજાનાં પૂરક અને પેાષક છે. એ બન્ને તત્ત્વ જેટલે અંશે સમજાય અને જીવનમાં ઊતરે તેટલે અરશે જૈન ધર્મનું જ્ઞાન અને પાલન થયું કહેવાય.
જૈન ધર્મનું વહેણ નિવૃત્તિ તરફ છે. નિવૃત્તિ એટલે પ્રવૃત્તિની વિરોધી ખીજી બાજી. પ્રવ્રુત્તિને અર્થે રાગદ્વેષના પ્રસગામાં ઝંપલાવવું. જીવનમાં ગૃહસ્થાશ્રમ એ રાગદ્વેષના પ્રસ ંગેાનાં વિધાનનું કેન્દ્ર છે. તેથી જે ધમમાં ગૃહસ્થાશ્રમનુ વિધાન કરવામાં આવ્યું છે તે પ્રવૃત્તિધર્મ અને જે ધર્માંમાં ગૃહસ્થાશ્રમૐ નહિ પણ માત્ર ત્યાગનું વિધાન છે તે નિવૃત્તિધ, જૈન ધર્મ એ નિવૃત્તિધમ હોવા છતાં તેના પાલન કરનારાઓમાં જે ગૃહસ્થાશ્રમના વિભાગ દેખાય છે. તે નિવૃત્તિની અપૂર્ણતાને લીધે. સર્વાંશે નિવૃત્તિ મેળવવા અસમર્થ વ્યક્તિ જેટજેટલા અશામાં નિવૃત્તિ સેવે તેતેટલા અંશામાં તેઓ જૈન છે, જે અશામાં નિવૃત્તિ સેવી ન શકે તે અામાં પેાતાની પરિસ્થિતિ પ્રમાણે વિવેકદૃષ્ટિથી તેઓ પ્રવૃત્તિ ગાઢવી લે; પણ એ પ્રવૃત્તિનું વિધાન જૈન શાસ્ત્ર નથી કરતું, તેનું વિધાન તે માત્ર નિવૃત્તિનું છે. તેથી જૈન ધર્મને વિધાનની દૃષ્ટિએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org