SearchBrowseAboutContactDonate
Page Preview
Page 524
Loading...
Download File
Download File
Page Text
________________ આપણી શ્રત પ્રત્યેની જવાબદારી [૩૩] દરેક ધર્મ પરંપરાની પેઠે જૈન પરંપરાના અસ્તિત્વન આધાર મુખ્યપણે ત્રણ છેઃ (૧) શ્રુત-શાસ્ત્ર, (૨) એના ધારક ત્યાગી અને વિદ્વાન, અને (૩) તીર્થસ્થાન–પૂજ્ય પુરુષોનાં સ્મારક સ્થાન. આ ત્રણ વસ્તુઓમાંથી અહીં મૃત પ્રસ્તુત છે. દેશ અને ગુણનાં મૂળ તપાસવાં જોઈએ શ્રતના સંબંધમાં વર્તમાન કાળમાં આપણું શું શું કર્તવ્ય છે, એ સંબંધમાં આપણે કેટલે અંશે જાગરૂક છીએ, કેટલે અંશે પ્રમાદી કે આડે રસ્તે છીએ, અગર કેટલે અંશે આપણી શક્તિ નિરર્થક વેડફાય છે, વગેરે પ્રશ્નો ઉપસ્થિત થાય છે. સામાન્ય રીતે દરેક જૈન વર્તમાન સ્થિતિને અસંતોષજનક બતાવી તેના ગુણદોષનું વર્તમાનકાળ પૂરતું કથન કરે છે અને એમ કહેવા ઈચ્છે છે કે આપણું અમુક અમુક ખામી દૂર કરવી અને અમુક રીતે કામ કરવું, પણ આ આપણી વર્તમાન ખામી કે વર્તમાન ગુણસંપત્તિ એ માત્ર આકસ્મિક છે કે એનાં મૂળ ઊંડાં છે એનો વિચાર ભાગ્યે જ થાય છે. જ્યારે પણ એ ગુણદોષનાં મૂળ વિશે વિચાર થાય છે ત્યારે પણ એનું ચિત્ર વિવેકપૂર્વક અને તદ્દન મધ્યસ્થતાથી ભાગ્યે જ રજૂ થાય છે. આને લીધે સાધારણ વાચક અને ઊગતે વિચારક મનમાં એવા સંસ્કાર ષિત થઈ જાય છે કે ભૂતકાળ તે સુવર્ણમય હતે, એમાં કશી જ ખામી ન હતી અને હેઈ શકે નહિ. પછી તેવા વાચક અને વિચારકને એમ લાગે છે કે વર્તમાન સ્થિતિ એ નવી અને અણધારી ઊપજ છે, વારસામાં તે બહુ જ ગુણસંપત્તિ પ્રાપ્ત થઈ, પણ આપણે એવા નબળા પાક્યા કે એ સતવારસાને વણસાડી નાખે. આવી ધારણાથી સુધારક અને વિચારક વર્તમાન કાળને બહુ જ ભાડે છે, સુધારો કરવા માગે છે, પણ તેનાં મૂળનું શોધન કરી શકતો નથી. જે મૂળ વારસાગત છે અને જેનું નવેસર સંશોધન થવું જરૂરી છે તેને ઉપર ઉપરથી મલમપટ્ટી કર્યું તેને અસલી દેષ દૂર થઈ શકતો નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy