________________
૪૮૮ ]
દર્શન અને ચિંતન સંસ્કારમાંથી વિકાસ પામ્યા હોવા છતાં સાવ અપૂર્વ છે. જૈન પરંપરાને તે અનાયાસે પિતાના પ્રાણભૂત સિદ્ધાંતને વિસ્તારનાર, વિશદ કરનાર અને તેની વિશ્વભરમાં પ્રતિષ્ઠા કરનાર એવા સંત મળી આવ્યા છે, તે કાંઈ જે તે લાભ ન કહેવાય. આપણે પોતે અહિંસાને બહલાવી લેકપ્રિય કરી ન શકીએ અને કેઈ બીજો જીવને જોખમે તે કામ કરે તો તેને પિતાને કરતાં પાછા પડીએ તે તેનાથી વધારે વિનિપાત બીજે કયે હોઈ શકે? મહાવીરે તે અહિંસાના વિચારમાંથી જ અસ્પૃશ્યતાનો ધર્મ પ્રદેશ પૂરો વિરોધ કરેલ. ગાંધીજીએ તે જ અહિંસાના આધારે અસ્પૃશ્યતાને સર્વ ક્ષેત્રમાં વિરોધ કર્યો છે અને તે ખૂબ સફળ પણ થઈ રહ્યો છે. સનાતન ધર્મના બહુમત અને બીજાં બળ સામે જેને અસ્પૃશ્યતાના વિરોધની બાબતમાં ટક્કર ઝીલી શક્યા ન હતા. તેમને એ સાચા સિદ્ધાંતની બાબતમાં પણ વ્યવહારદષ્ટિએ વૈદિક પરંપરા સામે હાર ખાવી પડી હતી. પરંતુ સત્ય લબે વખત દબાવ્યું દબાતું નથી, એટલે અસ્પૃશ્યતાના પાપનિવારણનું પરમ સત્ય આજે પૂરી પ્રતિષ્ઠા પામી રહ્યું છે. ગાંધીજી અને કેગ્રેસ જ નહિ, પણ પ્રાચીન કાળના કટ્ટર વિદિકના અનેક બ્રાહ્મણ વંશજો પણ આ સત્યની પડખે છે. એટલે બીજી રીતે વિચારીએ તે બુદ્ધ અને મહાવીરનાં વાવેલાં બીજ આજે ફાલ્યાં ત્યાં છે. તેવી દષ્ટિ પામેલા સંખ્યાબંધ જેનો અસ્પૃશ્યતાનિવારણમાં સીધે સાથ આપી પ્રતિક્રમણને સફળ કરી રહ્યાં છે. પાછી પાની કરતા હોય તે તે માત્ર અહિંસાધ્વજધારી ગુરુઓ અને તેમને પગલે ચાલતા રૂઢિચુસ્તો. હવે તેમણે વખત ઓળખ જોઈએ. એક બાજુ તેમને ક્યારેકના પિતાના વિરોધી કટ્ટર વૈદિકનો સાથ છે અને બીજી બાજુ તેમની પોતાની નવી પેઢી તેમની પડખે છે. એટલે અત્યારે અસ્પૃશ્યતાનું કલંક ધોઈ નાખવાની જે સોનેરી તક જૈનેને સાંપડી છે તેનો રૂઢ દષ્ટિવાળા નિર્ભયપણે સત્કાર નહિ કરે તે પુનઃ પુનઃ પ્રાયશ્ચિતનું સ્મરણ કરાવતાં પ્રતિક્રમણનાં બધાં સૂત્રે એ માત્ર બકરાના ગળાના આપળ જેવાં અર્થ વિનાનાં થઈ પડશે અને તેઓ યુગ તેમ જ પિતાની જ પેઢી દ્વારા ઉપહાસ પામશે. આપણે આ વર્ષના શુદ્ધિપર્વ પ્રસંગે ઉપરની સમસ્યાઓના ઉકેલ તરફ કદમ ઉઠાવીએ એટલું જ વાંછનીય છે.
–પ્રબુદ્ધ જૈન, ૧-૯-૪પ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org