________________
અહ૪]
દર્શન અને ચિંતન દઈએ છીએ. જ્યારે એ ભયાનક પરિષહ અને પ્રભાવશાળી દેવાની વાત સામે આવે છે ત્યારે શ્રદ્ધાથી અચંબો પામીએ કે અશ્રદ્ધાથી એ વાત ન માનીએ એ બંનેનું પરિણામ એક જ આવે છે અને તે એ કે આપણે ક્ષુદ્ર રહ્યા, આવું તે આપણા જીવનમાં ક્યાંથી આવે ? એ તો મહાપુરુષમાં જ હોય અથવા કેઈમાં ન હોય એમ ધારી, આપણે શ્રદ્ધાળુ હોઈએ કે અશ્રદ્ધાળુ હોઈએ, પણ મહાવીરના જીવનમાંથી આપણું જીવન પરત્વે કશું જ ઘટાવી કે ફલિત કરી શકતા નથી. એટલે આપણે તો જીવનશુદ્ધિની દષ્ટિએ ભગવાન મહાવીરના જીવનમાંથી કશે જ ફાયદો ઉઠાવી શકતા નથી, એમ સામાન્ય રીતે કહી શકાય. મહાવીરની મહત્તા દેવના આગમન કે બીજી દિવ્ય વિભૂતિઓમાં નથી, શરીરસૌષ્ઠવ કે બીજા ચમત્કારોમાં પણ નથી, કારણ કે જે દેવે આવી જ શકતા હોય તે બીજાઓ પાસે પણ આવે અને શરીરનું સૌષ્ઠવ તથા બીજી વિભૂતિઓ તે મહાન ભોગી ચક્રવતીઓને કે જાદુગરેને પણ સાંપડે. પછી આપણે આવી અતિશયતાઓથી કાં લેભાગું જોઈએ ?
ત્યારે પ્રશ્ન થશે કે ભગવાનના જીવનમાં આકર્ષક અથવા ઉપયોગી અને અસાધારણ મેહક તત્ત્વ શું છે કે જેનો સંબંધ આપણું સાથે પણ સંભવી શકે અને જેને લીધે ભગવાનની આટલી મહત્તા છે? એનો ઉત્તર રાતદિવસ ચાલતા આપણું જીવનમાંનાં તેજાનેમાંથી મળી રહે છે. જે તેફાને આપણને હેરાન કરે છે, કચરી નાખે છે અને નિરાશ કરી મૂકે છે, તે જ મનનાં તોફાને. ભગવાનને પણ હતાં. ભયનું ભારે વાવાઝોડું, બીકનું ભારે દબાણ, સ્થિર રહેવાની લીધેલ પ્રતિજ્ઞામાંથી ચલિત થઈ હંમેશની પડેલી ભેગની ટેવોમાં તણાઈ જવાની નબળાઈ સંગમનું રૂપ ધારણ કરીને આવી અને ભગવાનની કસોટી થવા લાગી. પ્રતિજ્ઞાના અડગ પગ ડગાવવા પૂર્વ ભાગોના સ્મરણ અને લાલચે આગનું રૂપ ધારણ કર્યું અને ખીર પાકવા લાગી. મહાવ્રતની ભીષ્મ પ્રતિજ્ઞા લેતી વખતે અંતરાત્માના દિવ્ય નાદને સાંભળવા ભગવાને મનમાં જે શ્રવણ–બારીઓ ઉધાડી મૂકી હતી, તેમાં દુન્યવી વાવાઝોડાના નાદ ખીલારૂપે દાખલ થયા. આ બધું છતાં એ ભીષ્મપ્રતિજ્ઞાવીર કેવી કેવી રીતે આગળ વધ્યે જ ગયા, અને સંગમથી કે પગ ઉપરના ખીરપાકથી કે ખીલા ભેંકાવાથી જરા પણ પાછા ન હતાં છેવટે વિજયવાન થયા, એ જ જાણવામાં મહાવીરના જીવનની મહત્તા છે. એવા સંગમ દેવો, એ રંધાતી ખીરે, એ કાનમાં ઠેકાતા ખીલાઓ આપણે રેજેજ આપણા જીવન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org