SearchBrowseAboutContactDonate
Page Preview
Page 505
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૦ ] દર્શન અને ચિંતન અને અંત્યજોની જન્મસિદ્દ નીચતા સામે જે તુમુલ યુદ્ધ શાસ્ત્રોમાં કર્યું હતું અને પશ્ચિમ તેમ જ ઉત્તર હિન્દુસ્તાનના શ્વેતાંબર આચાર્યોએ જે વસ્તુ છેવટ સુધી શાસ્ત્રોમાં તત્ત્વદૃષ્ટિએ સ્થાપી છે તે જ બાબતમાં બધા જ જૈને—ત્રણે ક્િરકાના જૈના—બ્રાહ્મણાથી હારી ગયા છે. બ્રાહ્મણોએ જે કહ્યું, જે કર્યું અને જે લખ્યું તેમાં જૈને પાછા ગુલામ થયા. એકવાર જૈન દીક્ષાથી અત્યન્ને પવિત્ર થતા અને એમની આભડછેટ બળી જતી. આજે એ અત્યો અને એમની આભડછેટ જૈન દીક્ષાને અપવિત્ર બનાવે છે. શું આ જૈનેની હાર નથી સૂચવતી કે પહેલાં જૈન દીક્ષામાં પવિત્રતાને અગ્નિ હતા જેથી આભડછેટ મળી જતી અને આજે કહેવાતી આભડછેટમાં એવા મેલ છે કે તેની સામે આજની જૈન દીક્ષા કાંઈ પણ કરવાને અસમર્થ છે? સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો આજની દીક્ષામાં જો ખરે જ કાંઈ સત્ત્વ હોય તે તે આભડછેટથી ભ્રષ્ટ ન થાય, પણ ઊલટી આભડછેટને ધોઈ નાખે. હસવા જેવી વાત તો એ છે કે ખુદ ભગવાન પાસે અસ્પૃશ્યેા જાય અને પવિત્ર થાય, પણ તેમની મૂર્તિ પાસે જઈ ન શકે અથવા તેમના ધસ્થાનેમાં જઈ ન શકે ! જો જિનમૂર્તિ, કહેવાય છે તેમ, જિન સમાન જ હાય તો જેમ જિન—તીર્થંકર પાસે અંત્યજો જતા તેમ તેમની મૂર્તિ પાસે પણ જવા જોઈ એ અને જઈ તે પવિત્ર થઈ શકે, એટલે કાં તે ‘જિનમૂર્તિ જિન સરખી’ એ વાત ખોટી અને માત્ર કહેવા પૂરતી જ છે એમ ગણવું જોઈ એ અને કાં તો એ વાત સાચી ઠરાવવા ખાતર તેમ જ જૈન સાધુ બ્રાહ્મણાથી નથી હાર્યાં એ બતાવવા ખાતર અત્યજોને જૈન સંધમાં લેવા જોઇએ અને એામાં આછું જો તેઓ ઇચ્છે તે જૈન મંદિરમાં અને બીજા કાઈ ધર્મસ્થાનમાં તેમને જવા આવવાની છૂટ મળવી જોઇએ. આ તો ધર્માંદૃષ્ટિએ વાત થઈ, પણ સમાજ અને રાજકીય દૃષ્ટિએ પણ જૈતે। આ વસ્તુ ન વિચારે તે તેની આ નિર્માલ્યતા અને વિચારહીનતા છે એમ વિષ્યની તેમની પ્રજા સમજશે. અને જ્યારે બ્રાહ્મણધમાં લેાકા અસ્પૃશ્યતા દૂર કરશે ત્યારે જ જૈને તેમનું અનુકરણ કરશે તે તેમાં તેમની પોતાની સાંસ્કૃતિક વિશેષતા નહિ હાય. અત્યારે આ પ્રશ્ન માત્ર સહાનુભૂતિ પૂતે નથી. દરેક ગૃહસ્થે કે સંસ્થાના સંચાલકે ઓછામાં ઓછું એક અત્યજ બાળક કે એક બાળિકાને પેાતાને ત્યાં સમભાવપૂર્ણાંક રાખી જૈન સંસ્કૃતિના નિર્ભય પરિચય આપવા જોઈ એ. —પર્યુષણ પર્વનાં વ્યાખ્યાન, ૧૯૩૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy