________________
તપ અને પરિષહ
[૨૫]
અહિંસાના પંથે જેટલા જૂના છે, તેટલું જ તપ પણ જૂનું છે. ભગવાન મહાવીર અને બુદ્ધ પહેલાં આપણા દેશમાં તપને કેટલે મહિમા હો, તપ કેટલું આચરવામાં આવતું અને તાપૂજા કેટલી હતી એના પુરાવાઓ આપણને માત્ર જૈન આગમ અને બૌદ્ધ પિટકમાંથી જ નહિ, પણ વૈદિક મંત્ર, બ્રાહ્મણો અને ઉપનિષદ સુધ્ધાંમાંથી મળે છે. કોઈ પણ કાર્યની સિદ્ધિ માટે તપનું અનુષ્ઠાન આવશ્યક મનાતું. તપથી ઈન્દ્રનું આસન કાંપતું. તેને ભય લાગતો કે તપસ્વી મારું પદ લઈ લેશે, એટલે તે મેનકા કે તિલોત્તમા જેવી અપ્સરાઓને, તપસ્વીને ચલિત કરવા મોકલતા. માત્ર મેક્ષ કે સ્વર્ગના રાજ્ય માટે જ નહિ, પણ ઐહિક વિભૂતિ માટે પણ તપ આચરાતું. વિશ્વામિત્રનું ઉગ્ર તપ પુરાણમાં પ્રસિદ્ધ છે. મહાભારત અને રામાયણ કે તે પાને પાને તાપસના ભઠે, તપસ્વી ઋષિએ તેમ જ તપસ્વિની માતાઓ નજરે પડશે.
સ્મૃતિઓમાં જેમ રાજદંડના નિયમો છે તેમ અનેક પ્રકારના તપના પણ નિયમો છે. સૂત્રગ્રંથોમાં વર્ણાશ્રમની વ્યવસ્થા વાંચે, એટલે જણાશે કે ચારે આશ્રમ માટે અધિકાર પ્રમાણે તપ બતાવવામાં આવ્યું છે; અને ત્રીજો તથા એ આશ્રમ તો ઉત્તરોત્તર વધારે અને વધારે તપનાં વિધાનોથી જ વ્યાપેલ છે. આ ઉપરાંત એકાદશી-વ્રત, શિવરાત્રિનું વ્રત, જન્માષ્ટમી અને રામનવમીનું વ્રત વગેરે અનેક વ્રતના મહિમાના ખાસ જુદા ગ્રંથ લખાયા છે. સ્ત્રીઓનાં કેટલાંક તપે જુદાં છે; કેટલાંક સ્ત્રીપુરુષ બન્નેનાં સાધારણ છે; જ્યારે કેટલાંક તો તે માત્ર કન્યાઓનાં છે. આ તે બ્રાહ્મણ સંપ્રદાયની વાત થઈ.
પણ બૌદ્ધ અને જૈન સંપ્રદાયનાં શાસ્ત્રોમાં પણ એની એ જ વાત છે. મઝિમનિકાય જેવા જૂનાં બૌદ્ધ ગ્રંથમાં અને ભગવતી જેવા પ્રસિદ્ધ જૈન આગમમાં અનેક પ્રકારના તાપસેના, તેમના મઠના અને તેમના તપની વિવિધ પ્રણાલીઓનાં આકર્ષક વર્ણને છે, જે એટલું જાણવા માટે બસ છે કે આપણા દેશમાં અઢી હજાર વર્ષ પહેલાં પણ તપ-અનુષ્ઠાન ઉપર નભતી ખાસ સંસ્થાઓ હતી અને લેકે ઉપર તે સંસ્થાઓને ભારે પ્રભાવ હતો. બ્રાહ્મણ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org