________________
૪૧૨]
દર્શન અને ચિંતન પગ બચાવ્યો, પણ બંનેએ હાથપગ બચાવવા જતાં તીર્થમાંથી આત્મા ઉડાડી દીધે; કારણ કે, હમણાં હમણાંની તીર્થની તાજી લડાઈઓ તમને કહે છે કે તે નિમિત્તે મનુષ્યહત્યા સુધ્ધાં કરી ચૂક્યા છે અથવા તે હત્યા થવામાં નિમિત્ત થયા છે. જે આ આત્મા જ ન હોય અને છિન્નભિન્ન અંગવાળું માત્ર ફ્લેવર જ હોય તો હવે એ માટે શું કરવું અને શું ન કરવું એ કહેવાની જુદી જરૂર રહેતી નથી.
સાધુસંસ્થા જાણીને જ સાધુસંસ્થાની ચર્ચા પાછળથી કરું છું. આજની સાધુસંસ્થા ભગવાન મહાવીરને તે આભારી છે, પણ એ સંસ્થા તો એથીયે જૂની છે. ભગવતી જેવા આગમોમાં અને બીજા જૂના ગ્રંથોમાં પાર્થાપત્ય એટલે પાર્શ્વનાથ ના શિષ્યોની વાત આવે છે. તેમાંના કેટલાક ભગવાન મહાવીર પાસે જતાં ખચકાય છે, કેટલાક તેમને ધર્મવિધી સમજી પજવે છે, કેટલાક ભગવાનને હરાવવા કે તેમની પરીક્ષા કરવા ખાતર તરેહતરેહના પ્રશ્નો કરે છે, પણ છેવટે એ પાર્થાપત્યની પરંપરા ભગવાન મહાવીરની શિષ્ય પરંપરામાં કાં તો સમાઈ જાય છે અને કાં તો તેમાં કેટલાક સડેલે ભાગ આપોઆપ ખરી જાય છે. અને એકંદર પાછો ભગવાનને સાધુસંધ નવે રૂપે જ ઊભો થાય છે, તે એક સંસ્થાના રૂપમાં ગોઠવાઈ જાય છે. તેના રહેણીકરણીના અરસપરસના વહેવારના અને કર્તવ્યના નિયમે ઘડાય છે. એ નિયમના પાલન માટે અને એમાં કઈ ભંગ કરે તો એને શાસન કરવા માટે સુવ્યવસ્થિત રાજતંત્રની પેઠે એ સાધુસંસ્થાના તંત્રમાં પણ નિયમ ઘડાય છે; નાનામોટા અધિકારીઓ નિમાય છે. એ બધાનાં કામોની મર્યાદા અંકાય છે. સંસ્થવિર, ગચ્છસ્થવિર, આચાર્ય, ઉપાચાર્ય, પ્રવર્તક, ગણું વગેરેની મર્યાદાઓ, અરસપરસના વ્યવહાર, કામના વિભાગ, એકબીજાની તકરારના ફેંસલાઓ, એકબીજા ગચ્છની અંદર કે એકબીજા ગુરની પાસે જવા-આવવાના, શીખવાના, આહાર વગેરેના નિયમેનું જે વર્ણન છેદસત્રોમાં મળે છે, તે જોઈ સાધુ સંસ્થાના બંધારણ પરત્વેના આચાર્યોના ડહાપણ વિશે માને ઉત્પન્ન થયા વિના રહેતું નથી. એટલું જ નહિ, પણ આજ કઈ પણ મહતી સંસ્થાને પિતાનું બંધારણ બાંધવા અથવા વિશાળ કરવા માટે એ સાધુસંસ્થાના બંધારણનો અભ્યાસ બહુ જ મદદગાર થઈ પડે તેમ મને સ્પષ્ટ લાગ્યું છે. " આ દેશના ચારે ખૂણામાં સાધુસંસ્થા ફેલાઈ ગઈ હતી. ભગવાનના અસ્તિત્વ દરમ્યાન ચૌદ હજાર ભિક્ષુ અને છત્રીસ હજાર ભિક્ષુણીઓ હોવાનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org