________________
સાધુસંસ્થા અને તીર્થસંસ્થા તથા તેને ઉપયોગ
[૪૦૭ ચારેતરફ મળી આવે છે. એ જ એક વખતના જૈન સમાજના વિસ્તારને પરા છે. જૈન તીર્થોની ખાસ એક સંસ્થા જ છે, જોકે આજે દિગંબર અને શ્વેતાંબર એ બે ભાગમાં તે વહેંચાઈ ગઈ છે. એ સંસ્થાની પાછળ કેટલા માણસે કાયમને માટે રોકાયેલા રહે છે, કેટલી બુદ્ધિ એની સારસંભાળમાં અને બીજી બાબતમાં ખરચાય છે, અને એ તીર્થોની પાછળ કેટલું ધન વપરાય છે એને પૂરે અને સાચે ખ્યાલ આપવા જેટલા આંકડા અત્યારે પાસે નથી, છતાં અટકળથી ઓછામાં ઓછું કહેવું હોય તો એમ કહી શકાય કે એ સંસ્થાની પાછળ પાંચ હજારથી ઓછા કાયમી માણસો નહિ હોય, અને જુદી જુદી અનેક બાબતમાં પચાસ લાખથી ઓછો ખર્ચ થતે નહિ હોય. એ સંસ્થાની પાછળ કેટલીક જગ્યાએ જમીનદારી છે, બીજી પણ સ્થાવર-જંગમ મિલકત છે અને રોકડ નાણું, સોનું, ચાંદી તેમ જ ઝવેરાત પણ છે. ઘરમંદિર અને તદ્દન ખાનગી માલિકીનાં મંદિરને બાજુએ મૂકીએ તે પણ જેના ઉપર નાનામોટા સંધની માલિકી હેય, દેખરેખ હોય એવાં સંધમાલિકીનાં મંદિરના નાનામોટા ભંડારે હોય છે. એ ભંડારેમાં નાણાનું ખાસું ભંડોળ હોય છે, જે દેવદ્રવ્ય કહેવાય છે. ફક્ત શ્વેતાંબરસંઘની માલિકીનું દેવદ્રવ્ય અત્યારે ઓછામાં ઓછું એક કરોડ જેટલું તે આખા હિંદુસ્તાનમાં ધારવામાં આવે છે. એમાં શંકા નથી કે આ દેવદ્રવ્ય એકઠું કરવામાં, તેની સારસંભાળ રાખવામાં અને તે ભરપાઈ ન જાય તે. માટે ચાંપતા ઇલાજે લેવામાં જૈન સંઘે ખૂબ ચાતુરી અને ઈમાનદારી વાપરી છે. હિંદુસ્તાનમાંના બીજા કોઈ પણ સંપ્રદાયના દેવદ્રવ્યમાં જૈન સંપ્રદાયના દેવદ્રવ્ય જેટલી ચેખવટ તમે ભાગ્યે જ જોશે. એ જ રીતે દેવદ્રવ્ય એના ઉદેશ સિવાય બીજે ક્યાંય ખર્ચાય નહિ, વેડફાય નહિ અને કેઈ એને પચાવી ન જાય એ માટે પણ જૈન સંઘે એક નૈતિક અને વ્યાવહારિક સુંદર વાતાવરણ ઊભું કર્યું છે. જૈન બચ્ચે દેવદ્રવ્યની એક પણ કેડી, પિતા-. નાથી બને ત્યાં સુધી, પિતાના અંગત ભાગમાં વાપરવા કદી રાજી કે તૈયાર . હેતું નથી. એમ કરતાં એ, સંસ્કારથી જ, બહુ ડરે છે અને કાંઈક સામાજિક બંધારણ પણ એવું છે કે કોઈએ દેવદ્રવ્ય પચાવ્યું એમ જાણ થતાં. જ એની પાછળ સંધ અથવા સાધુઓ પડે છે અને એ વ્યક્તિને જવાબ દેવો ભારે થઈ પડે છે. દેવદ્રવ્ય હડપાઈ જવાના કિસ્સા મળી આવે ખરા પણ તે ન ટકે જ, અથવા જ્યારે હાથમાં બીજી કોઈ પણ બાજી ન રહી હોય ત્યારે જ.
તીર્થસંસ્થા સાથે મૂર્તિને, મંદિર, ભંડારને અને સંઘ નીકળવાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org